________________
( ૧૨૪
ભલે બહાર ઈન્દ્રિયો વિષયોના સંબંધ રહે, પણ અંદરથી વિષયોથી અલિપ્ત, અનાસક્ત યોગી જેવા રહેવાનું... એથી જ કલ્યાણ થશે.' - આવો ઉપદેશ ઉપરની પ્રવચનસારની ગાથા અને ટીકાનો નથી. હોય તો નિશ્ચયપંથીઓ જણાવે. છતાં એકાંત નિશ્ચયવાદીઓને એવું બહાર જુદું અને અંદર જુદું ચલાવવું છે અને પાછું કર્તવ્ય મનાવવું છે ! બાકી ઉપર લખ્યું તેમ અમૃતચંદ્રીય ટીકાનું એ કહેવું છે કે નિર્વિકલ્પ દશા જરૂર પામવા યોગ્ય છે, પરંતુ એ એકદમ નહિ મળે કે એકાએક નહિ આવે. અલબત્ત એની અભિલાષા જરૂર રાખવાની. પણ સાથોસાથ ગાથામાં બતાવેલ અઠ્ઠાવીસ મૂળ ગુણો, મૂળ આચારો જરૂર આચરવાના. વળી એ પણ કહ્યું કે આ ગુણો, સવિકલ્પ અવસ્થાના છે. એટલે ? એટલે એ કે, સવિકલ્પ અવસ્થા પણ આદરણીય છે; એ અવસ્થાની કરણી પણ અવશ્ય કરવી જોઇએ. તો જ એ કરતાં કરતાં નિર્વિકલ્પ અવસ્થાના ધ્યેય સાથે નિર્વિકલ્પ દશામાં પહોંચી શકાય. વાત પણ બરાબર છે. કેમ કે હજી
જ્યાં સુધી એ ઉંચી અવસ્થા આવી નથી, ત્યાં સુધી જો મૂળ આચારો પાળવાના વ્યવહારમાં ન રહે તો શું કરશે ? એજ કે જે અનાદિ કાળથી કરતો આવ્યો છે. અર્થાત્ વ્રતથી અહિંસાઅપરિગ્રહાદિની પ્રવૃત્તિને બદલે અવિરતિથી હિંસા (આરંભસમારંભ) પરિગ્રહાદિની પ્રવૃત્તિમાં રચ્યોપચ્યો રહેવાનો. ભલે કદાચ અંદરથી આત્મસ્વરૂપ વિચારવા અને વીતરાગી દશા કેળવવાનો અભ્યાસ કરશે પણ તેથી શું ? કેમ કે આત્મસ્વરૂપનો વાસ્તવિક વિચાર તો જડની પ્રવૃત્તિથી ઘણો ઘણો સહેજે પાછો હઠાવી દે; સાચી વીતરાગી દશાની કેળવણી તો રાગપોષક ધૂમ પ્રવૃત્તિઓ પર ધરખમ કાપ મૂકાવી દે. એવું જ બહારથી પાંચ સમિતિમાં ન પ્રવર્તનારો ગમે તેમ ચાલવા-બોલવા ખાવામાં પડશે. એવી આચારના અભાવે બીજી ઇન્દ્રિય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org