________________
( ૧૨ ૨
રાગદ્વેષ છોડવા તરફ એમનું લક્ષ નથી. એ તો પુણ્યભાવ છોડવાનું કહે છે. એમ કરી સારી પ્રવૃત્તિ છોડી અશુભાશ્રવની નિરર્ગલ પ્રવૃત્તિ કરી નરક નિગોદમાં જઈ પડે છે. આમાં પણ નિશ્ચય અને વ્યવહાર બંનેને માનવાનો કેવો સરસ અનેકાંતમાર્ગ બતાવ્યો, તેમજ એકલો નિશ્ચય નિશ્ચય કૂટનારા એ વસ્તુગત્યા સાચા નિશ્ચયવાદી નથી પણ નિશ્ચયનો આભાસ એટલે કે નિશ્ચયની ભ્રમણાવાળા છે; માટે જ અજ્ઞાન છે અને પ્રવૃત્તિ પણ અજ્ઞાનતાથી કરે છે. કેમ કે જે પુણ્યની પ્રવૃત્તિઓ અને પુણ્યના આચાર વ્યવહાર જે ખરી રીતે પુણ્યબંધ અને પાપક્ષય બંનેનો લાભ આપે છે, તેમજ આત્માને અધિકાધિક ગુણોની ઉન્નતિનો અભ્યાસ પાડે છે, તથા સારી પ્રવૃત્તિમાં રાખીને જીવના ખોટી પ્રવૃત્તિના કુસંસ્કારનો હૃાસ કરે છે, તે પુણ્યપ્રવૃત્તિને નકામી ગણવી અને આચરવામાંથી ઉડાવી દેવી તે અજ્ઞાનતા નહીં તો બીજું શું ? વળી નિશ્ચયની વાત કરવા છતાં અંતરના રાગદ્વેષ એમજ ઊભા રાખે છે. કારણ રે રાગદ્વેષને પોષનારા જગતના સંયોગો એમજ સેવ્યે જાય છે ત્યાં રાગદ્વેષ ક્યાંથી ઓછા થાય ? માટે જ વ્યવહારમાર્ગની ઘણી ઘણી આવશ્યકતા છે જ. એનો ત્યાગ કરીને, તેમજ ઉપરથી માર્ગસ્થને વ્યવહારમૂઢતાની ગાળ દઇને નરક નિગોદની સ્થિતિ ઊભી કરે એમાં શી નવાઈ ?
(૨૯) “પ્રવચનસાર' ગાથા ૨૦૮થી જુઓ કે આટલા બધા બાહ્ય વ્યવહારનો વિસ્તાર બતાવ્યો છે -
वदसमिदिदिय - लोचावस्सयमचेलमण्हाणं । खिदिसयणमदंतवणं ठिदि भोयणमेगभत्तं च ॥ . एदे खलु मूलगुणा समणाणं जिणवरेहिं पण्णत्ता । तेसु पमत्तो समणो छेदोवठ्ठाणगो होदि ॥ અર્થ - પાંચ વ્રત - પાંચ સમિતિ - પાંચ ઇન્દ્રિયનિગ્રહ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org