SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ દોડવાના વ્યવહારવાળી હતી તે હવે વિષયોથી પાછી હઠવાના વ્યવહારવાળી બને છે. આવું બને તો જ અંદરનો નિશ્ચયધર્મ સાચો. આમ અહીં આ વ્યવહારને આવશ્યક કહ્યો; ત્યારે નવા પંથીને નિશ્ચયની કોઇ અસર વ્યવહારમાં ઉતારવી નથી. કેમ કે તો તો પછી પાપવ્યવહારો છોડવા પડે ને ? પછી એમના ભક્તોને ખાનપાનની લહેર, ધંધાધાપાની ધમાલ, વ્રતપચ્ચકખાણ વિનાની નિરંકુશ મનગમતી સ્થિતિ... વગેરે મૂકવું પડે ને ? અને એવું જો મૂકાવવામાં આવે તો એ લહેરી લાલા ભગતોમાંનો કોણ પછી ત્યાં ઊભો રહેવાય તૈયાર હોય ? (૨૭) ‘ભાવપાહુડા’ ગાથા ૭૩માં કહ્યું છે કે ‘મુનિ પહેલાં મિથ્યાત્વાદિ દોષનો ત્યાગ કરીને ભાવથી નગ્ન થાય છે, પછી દ્રવ્યથી જિનાજ્ઞા મુજબ દ્રવ્ય લિંગ બની (બાહ્ય નગ્નતા સાથે મોરપીંછ) પ્રગટ કરે છે.' અર્થાત્ અંદરખાને સમ્યગ્દષ્ટિ અને મહાવિરાગી બની સંસા૨થી અલિપ્ત થઇને બહારથી કપડાં મૂકી દઇ નગ્ન થાય છે; અને મુનિ તરીકેના વ્યવહાર આચરતો પૃથ્વી પર વિચરે છે. આમાં વ્યવહારની ક્યાં ઓછી મહત્તા છે ? નહિતર તો બહારથી નગ્ન થવાનું અને મુનિપણાના આચાર પાળવાનું કામેય શું હતું ? અંતરથી નિશ્ચયનયની નગ્નતા આવી ગઇ તો કામ થઇ જવાનું ! પણ ના, જાણે છે કે બાહ્ય અશુભ વ્યવહાર ટાળી શુભ વ્યવહારમાં રચ્યો-પચ્યો રહેશે તો એ ક્રમે કરીને અપ્રમત્તતા વગેરે ગુણસ્થાનકો ચઢી કર્મક્ષય કરી સિદ્ધ બની શકશે. નહિ કે અંતરની નિશ્ચયની જપમાળા માત્રથી. (૨૮) દિગંબરીય ‘પંચલબ્ધિ’ ગ્રંથમાં લખ્યું છે કે ‘પદાર્થના બે ધર્મ છે – સામાન્ય અને વિશેષ. આ બંનેને માને તે જ્ઞાની છે. પણ એક સામાન્ય અર્થાત્ નિશ્ચય નયને જ માને તે અજ્ઞાની છે, એકાંત મિથ્યાર્દષ્ટિ છે. નિશ્ચયાભાસી મોઢે બડી બડી વાતો કરે છે, પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy