________________
૧૧૯
પ્ર૦ - એ તો પાછા વ્યવહારનું ખંડન કરી સદ્દભૂત નિશ્ચયમાર્ગને સ્થાપે છે તેથી વ્યવહારમૂઢ શાના ?
ઉ૦ – તો એમ તો પૂ. ઉ0 શ્રી યશોવિજયજી મહારાજે નિશ્ચયનું સ્થાપન ક્યાં ઓછું કર્યું છે ? અનેકાનેક સ્થળે એમણે કેવળ વ્યવહાર પકડી બેસનારને ખાંડ્યા છે; અને નિશ્ચયમાર્ગની અતિ ઉંચી આવશ્યકતા બતાવી છે. પછી કુંદકુંદાચાર્ય વ્યવહારમૂઢ નહિ, તો એ ય વ્યવહારમૂઢ શાના? છતાં કહેતા હો તો તમારું હૃદય એ મહાપુરુષ અને એમના સત્યમાર્ગ પ્રત્યે દ્વેષભર્યું છે.
(૨૧) દિગંબરના “ચારિત્રપાહુડ' ગ્રંથની ગાથા ૩૪૧ - સુvUITયાર નિવાસી...” વાળી ગાથામાં ત્રીજા મહાવ્રતની ભાવનામાં લખ્યું છે કે નિગ્રંથ શૂન્ય-ઘરમાં નિવાસ કરે; બીજાએ ત્યજેલા ઘરમાં રહે; બીજાના ઉપરોધ-અવરોધ વિનાના ઘરમાં રહે...” આ સ્પષ્ટ વિસ્તૃત વ્યવહાર આચરવાનો આદેશ નથી તો શું છે ?
(૨૨) વળી એમને ત્યાં કહ્યું છે કે “શુદ્રના હાથનું જલ ત્યજે પણ ઉદિષ્ટ આહાર લે એ મુનિ નથી.' - આ પણ વ્યવહાર છે કે મુનિએ શુદ્રના હાથનું પાણી ન લેવું; તેમજ ઉદિષ્ટ એટલે કે સાધુના ઉદ્દેશથી બનાવેલો આહાર ન લેવો. હવે એમને પૂછીએ કે તમારે ત્યાં ભલા ! પોતાના આંતર પરિણામ શુદ્ધ હોય તો શુદ્રનું પાણી કે ઉદિષ્ટ આહાર અજાણમાં લેવાઈ ગયો તેથી શું બગડવાનું હતું ? અને એ ન લેવાનો બાહ્ય વ્યવહાર કદાચ સાચવ્યો પણ આંતર પરિણામ શુદ્ધ નથી તો એ બહારના વ્યવહારથી શું સુધરી જવાનું ? છતાં વ્યવહાર વિના નિશ્ચય નથી પહોંચાતું, માટે તો વ્યવહાર પર ભાર મૂકે છે; ત્યાં વ્યવહારમૂઢતા નથી માનતા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org