SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ જિનવાણીના જ્ઞાતા પુરુષની આવશ્યકતા બતાવી. એ મળે તો સમ્યગ્દર્શન ઉત્પન્ન થઈ શકે; એટલા માટે જિનવાણી શ્રવણ અને જ્ઞાતા પુરુષના સત્સંગનો વ્યવહાર આદરવાની જરૂર કહી. તો નવો મત કાઢનાર શું આ કહેનારને વ્યવહારમૂઢ ગણે છે? પ્ર0 - પણ આ વ્યવહાર તો આટલો જ ને ? ત્યારે શ્વેતાંબરો જે વ્યવહારને વળગી બેઠા છે તે તો લાંબોલચક નિરર્થક વ્યવહાર છે; તેથી એ વ્યવહારમૂઢ કેમ નહિ ? ઉ0 - (૨૦) ઉપર કહેલી નિયમસારની ગાથા જેટલો જ વ્યવહાર નવા પંથને માન્ય દિગંબરોએ નથી કહ્યો. વિશેષ પણ ઘણો કહ્યો છે. ભગવતી આરાધના, શ્રાવકરત્ન કરંડકાચાર, પ્રવચનસાર વગેરેમાં સારી રીતે વ્યવહાર આચરવાનો વિસ્તાર બતાવ્યો છે. દા.ત. જુઓ પ્રવચનસાર ગાથા ૨૬ ૮. निच्छिदसुत्तत्थपदो समिदकसायो तवोधिगो चावि । लोगिगजપસંmi | ગદ્ર નહિ, રંગો સૂત્રાર્થપદના નિર્ણયવાળો, શમિતકષાય, તે તપથી અધિક છતાં જો લૌકિક જનનો સંસર્ગ ન છોડે તો તે સંયત નથી. અલ્યા ભાઈ ! ચારિત્રને - સંતપણાને નિશ્ચયથી શું આત્મસ્વરૂપની રમણતા સાથે સંબંધ છે કે બાહ્યથી લૌકિક સંસર્ગના ત્યાગ સાથે ? શું ભરત ચક્રવર્તી જેવાને લૌકિક સંસર્ગની વચમાં કેવળજ્ઞાન નથી થયું ? છતાં એ કેવળજ્ઞાન મેળવવાના રાજમાર્ગ નથી; રાજમાર્ગ તો લૌકિક સંસર્ગનો ત્યાગ કરી અઠ્ઠાવીસ મૂળગુણના પાલનનો વ્યવહાર માનો છો. તો પછી સારી રીતે વ્યવહારનો વિસ્તાર આચરવાનું પ્રવચનસાર' ગ્રંથ પણ ક્યાં નથી કહેતો ? તો શું એના કર્તાને વ્યવહારમૂઢ કહો છો ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy