________________
૧ ૧૧૬
A
પરિણામમાં અભેદ છે. વ્યવહારમતે એ બેની વચ્ચે ભેદ છે. વસ્તુનું સ્વરૂપ નિશ્ચય-વ્યવહાર ઉભય દૃષ્ટિથી નિર્ણત થાય છે. અહીં પરિણામી આત્મા છે. પરિણામ એના પર્યાયો છે. માટે આત્મા અને એના પર્યાયો (અવસ્થાઓ) વચ્ચે ભેદ, અભેદ બંનેય છે. સોનાનો દાખલો લઈએ તો સોનામાં જે લગડીપણું નીકળી જઈ કંઠીનો ઘાટ (પરિણામ) થાય છે તે હિસાબે સોનું એ પરિણામી કહેવાય; ને કંઠીપણાનો પર્યાય એ પરિણામ કહેવાય. એવું જીવમાં મનુષ્યપણું વગેરે જે છે તે પરિણામ છે; ને જીવ એ પરિણામવાળો એટલે કે પરિણામી છે. અહીં નિશ્ચય વ્યવહાર બંનેથી વિચારીએ ત્યારે જ આત્મામાં ચૈતન્ય,
સ્વભાવ, વિભાવ, બંધ, મોક્ષ વગેરે વસ્તુસત્ ભાવોની સંગતિ થઈ શકે. એકલા નિશ્ચયમતે તો પરિણામોનો અભેદ હોવાથી વિભાવ, બંધ, મોક્ષ વગેરે ચેતનથી અભિન્ન, જુદું કાંઈ જ નહિ. જે છે તે માત્ર ચેતન છે. તેથી આ તિર્યચ, આ મનુષ્ય, આ જીવ સંસારી, આ મુક્ત, એવો ભેદ રહેતો નથી; અને એવું કેમ મનાય ? તો તો પછી મોક્ષમાર્ગની સાધના જ ઉડી જાય. આ કારણે એમણે જ કહ્યું કે કોઈ નિશ્ચયનો એકાંત પકડનારાઓ જીવને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ માની એકાંતે કર્મનો અકર્તા જીવને કહે છે. પણ તે ખોટું કરે છે. કેમ કે એમ કહીને એ આત્માનો જ ઘાત કરનારા અર્થાત્ આત્માના ક્રમિક સ્વભાવવિભાવ પર્યાયને ઉડાવે છે; આત્માનો સહજ સ્વભાવ જે ક્રમે ક્રમે પુરુષાર્થથી પ્રગટ થતો આવે છે, તેનો વિરોધ કરે છે. કેમ કે નિશ્ચયમતે તો જીવમાં પૂર્ણ સ્વભાવ, પૂર્ણ ચૈતન્ય, પૂર્ણ અનંતજ્ઞાન સદા ઊભું જ છે. પછી એને ક્રમે પ્રગટ થવાનું ક્યાં રહ્યું ? ક્રમે પ્રગટ થવા માટે તો વ્યવહાર દૃષ્ટિની સહાય લેવી પડે. આમ પ્રત્યક્ષસિદ્ધ અને વાસ્તવિક, એવા ભિન્ન ભિન્ન આત્મ-પરિણામોનો જ અપલાપ કરવો. એટલે તો આત્માનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org