SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ છે કે ‘રાગી' જીવ કર્મ બાંધે છે. આ જિનોપદેશ છે. તેથી કર્મમાં રાગ ન કરો.' આમાં શું આવ્યું ? વ્યવહારનું સમર્થન. જીવ કર્મ બાંધે એ તો વ્યવહારનયની માન્યતા છે. નિશ્ચયનયને તો પરદ્રવ્યની અસર ખપતી નથી. (૧૭) સમયસાર ગાથા ૨૭૨માં કહે છે જીવને પરના નિમિત્તથી જે ભાવો થાય તે વ્યવહારનયના વિષય હોવાથી વ્યવહારનય પરાશ્રિત કહેવાય.' આમાં એટલું તો કબૂલ્યું કે જીવને ૫૨નું નિમિત્ત લાગે; તેમજ તેથી જીવમાં ભાવો થાય. આ માન્યતા વ્યવહા૨મતની છે. વ્યવહારનયે જ પ૨નું નિમિત્ત લાગે; અને તે નિમિત્તે જીવમાં ભાવો થાય. એટલે વ્યવહાર કાંઇ અસત્ય વસ્તુ નથી કહેતો. એનું કહેલું આ જગતમાં અનાદિકાળથી સર્વ જીવોમાં અને જડમાં બની આવે છે. એમ, મોક્ષ માટેના પ્રાથમિક પ્રારંભમાં પણ વ્યવહારનું જ કહેલું કરવું પડવાનું છે. એટલે વ્યવહારદષ્ટિ પણ પ્રબળ દિષ્ટ હોઇને એની કે એના પ્રરૂપકની નિંદા કરવી તે સરાસર અજ્ઞાન, દ્વેષ અને સત્યનો અપલાપ છે. (૧૮) સમયસાર ગાથા ૩૨૮માં કહે છે કે પરિણામપરિણામીની ભેદ-દૃષ્ટિમાં પોતાના અજ્ઞાનભાવરૂપી પરિણામોનો કર્તા જીવ જ છે. અભેદદૃષ્ટિમાં ચેતના માત્ર જીવ વસ્તુ છે.' એના વિવેચનમાં જણાવે છે કે ‘કોઇ એકાંતવાદીઓ સર્વથા એકાંતથી કર્મનો કર્તા કર્મને જ કહે છે અને આત્માને અકર્તા જ કહે છે. તેઓ આત્માના ઘાતક છે; ‘આત્મા કથંચિત્ કર્તા છે', એવી જિનવાણીના વિરોધક છે.’ જૈન મતે આત્મા કર્તા, અકર્તા બંનેય ઃ તેથી જ વ્યવહાર પણ સાચો - અહીં પણ ખુદ સમયસાર ગ્રંથે જ નિશ્ચય-વ્યવહાર બંનેને કેવો સુંદર સરખો ન્યાય આપ્યો ? નિશ્ચયમતે પરિણામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy