SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર૦ - વ્યવહારને તો તમે અભૂતાર્થ કહો છો. તો વ્યવહારના આશ્રયે (કરાતી) જડની સ્તુતિનું શું ફળ ? ૧૧૦ ઉ૦ – એનો ઉત્તર એ છે કે વ્યવહારનય સર્વથા અસત્યાર્થ નથી, કિન્તુ નિશ્ચયની અપેક્ષાએ અસત્યાર્થ છે. છદ્મસ્થને પરનો આત્મા દેખાતો નથી, શરીર દેખાય છે. તેની શાંતરૂપ મુદ્રા દેખી પોતાને પણ શાંતભાવ થાય છે. આવો ઉપકાર જાણી શરીરના આશ્રયે પણ સ્તુતિ કરે છે તથા (પ્રભુની) શાંતમુદ્રા દેખી અંતરંગમાં વીતરાગભાવનો નિશ્ચય થાય છે, એ પણ ઉપકાર છે. કહો, આ એમના મહાપ્રમાણ માનેલા સમયસારમાં જ વ્યવહારનું કેટલું સચોટ સમર્થન છે ! કદાચ એ કહે કે - પ્ર૦ પણ સમયસારમાં આગળ ઉપર વ્યવહારનું ભારે ખંડન કર્યું છે તેનું કેમ ? - ઉ૦ એનો ઉત્તર સીધો છે. પૂર્વે ગાથા બારમાં જ ગ્રંથકારે સૂચવી દીધું છે કે જે આત્મા શુદ્ઘનયની ભૂમિકા સુધી નથી પહોંચ્યા તેના માટે વ્યવહારમાર્ગ શ્રેયસ્કર છે; અને જે ત્યાં પહોંચેલા છે તેને શુદ્ઘનયનો ઉપદેશ લાભકારી છે. એટલે ગ્રંથના પાછળના ભાગમાં આપેલ વ્યવહારનું ખંડન માત્ર શુદ્ધનયની દૃષ્ટિએ છે, પણ અશુદ્ધનયની દૃષ્ટિએ નિહ, અર્થાત્ સાધક અવસ્થામાં રહેલા જીવોને નિરુપયોગી હોવાની દૃષ્ટિએ નહિ. એ જીવોને તો વ્યવહારમાર્ગ ખાસ ઉપયોગી છે જ. પ્રસ્તુતમાં તીર્થંકરદેવની સ્તુતિ કરવાના વ્યવહારને વ્યાજબી ઠરાવ્યો. વ્યવહારને અપેક્ષાએ સત્યાર્થ કહ્યો, એટલે કે વ્યવહારનય અસત્યાર્થની જેમ સત્યાર્થ પણ છે એમ કહ્યું, એક બાજુ વ્યવહારોપયોગીતા અને વ્યવહા૨સત્યતાનું આવું દીવા જેવું પ્રતિપાદન અને બીજી બાજુ પૂ. યશોવિજયજી મહારાજને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy