________________
( ૧૦૯
સમયસારમાં ગાથા ૧૪ની ટીકાના આ કથનથી સમજી લેવું કે “વ્યવહારનયને અભૂતાર્થ કહ્યો છે તેથી તે સર્વથા અસત્યાર્થ જ છે' એમ માનવાથી વેદાંતમતવાળા જેઓ (“બ્રહ્મ સત્ય, જગન્મિથ્યા'-એમ કહી) સંસારને અવસ્તુ માને છે, તેમનો સર્વથા એકાંત પક્ષ આવી જશે. એ રીતે એ શુદ્ધનયનું આલંબન પણ વેદાન્તીઓની જેમ મિથ્યાદષ્ટિપણું લાવશે. માટે સર્વ નયોના કથંચિત રીતે સત્યાર્થપણાનું અવલંબન કરવાથી સમ્યગ્દષ્ટિપણું છે.
બાકી તો આધુનિક નિશ્ચયવાદી નવા મતવાદીઓ વેદાન્તીના સગા ભાઈ બનવાની આપત્તિમાં છે. જો કે ખૂબી પાછી એ છે કે અમલમાં પાકા વ્યવહારી છે. પોતાના માનેલા જરૂરી સાધનોનો વ્યવહાર રાચીમાચીને પૂરજોશમાં કરે છે. માત્ર એમને ત્યાગ-તપસ્યા-વ્રત વગેરેનો કષ્ટમય વ્યવહાર પ્રત્યે જ સુગ છે ! છે કોઈ સિદ્ધાંત માન્યતાનો ઢંગ ? કે આચાર મર્યાદાનો ઢંગ ? હજી નવી યુક્તિ જુઓ.
(૧૦) સમયસારની ગાથા ૨૬મીમાં પ્રશ્ન કર્યો કે આત્મા શરીર નથી', તો તીર્થકર અને આચાર્યની સ્તુતિ ખોટી નહિ ઠરે ? પછી ગાથા ૨૭મીમાં એનો ઉત્તર કરતાં કહ્યું કે વ્યવહારનય આત્મા-દેહ એક કહે છે, તે હિસાબે સ્તુતિ વ્યાજબી છે. કુંદકુંદાચાર્ય જેવાએ પણ તીર્થંકરાદિની સ્તુતિ કરી છે, તે તીર્થંકરદેવના કેવળ આત્માને નહિ પણ શરીર સહિત આત્માને મનમાં રાખીને કરાય છે. એ વ્યવહારને સમયસારની આ ગાથા પ્રામાણિક ઠરાવે છે. એટલું જ નહિ, પણ એનું સમર્થન કરતાં આગળ ગાથા ૨૮મીમાં કહે છે કે,
(સમય) ગા) ૨૮) “સુવર્ણમાં ચાંદી ભળી જવાથી “શ્વેત સુવર્ણ વ્યવહાર થાય છે, તે વ્યવહારનયથી. એવી રીતે તીર્થકરના શરીરની સ્તુતિ તે તીર્થંકરની સ્તુતિ વ્યવહારથી આચાર્ય કહે છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org