________________
( ૧૦૮
હોવાથી હિંસા છે, પણ ભસ્મમાં તેવું નથી. નિશ્ચયવાદી આવો વિવેક ક્યાંથી કરી શકશે ? તેથી એને તો હિંસાની નિંદા, હિંસકને સજા, હિંસાની ત્યાજયતા વગેરે નકામું ઠરશે, બનાવટી ઠરશે. કહોને કે દાનાદિ કે ક્ષમાદિ બધા ધર્મોનું આચરણ નિશ્ચયમતે અનાવશ્યક છે. માટે જ વ્યવહાર સાચો છે, અવશ્ય આદરણીય છે, અનુલ્લંઘનીય છે.
(૭) બીજી પણ સરસ દલીલ વ્યવહાર સ્થાપન માટે આપી. નિશ્ચયમતે શરીરની જેમ રાગ-દ્વેષાદિ દોષો પણ આત્માથી તદ્દન જુદા છે. આત્મા એથી બંધાયેલ નથી. આત્મા તો સ્વરૂપે વીતરાગ, વીતષ છે. પછી આત્માને રાગ-દ્વેષમોહના દોષોથી છોડાવવાની વસ્તુજ નથી ઊભી રહેતી, તો એ માટે મોક્ષમાર્ગની સાધનાનીય જરૂર ક્યાં રહી ? જો એ નહિ તો પછી આત્માને મોક્ષ પામવાની વાત ક્યાં રહેવાની ? અહીં વ્યવહારવાદી તો કહી શકે છે કે આત્મા સંસારાવસ્થામાં રાગી છે, દ્વેષી છે; અને એ રાગદ્વેષથી કથંચિત્ અભિન્ન પણ છે, તેથી એ દશા મિટાવવા મોક્ષના ઉપાયો સેવવા જરૂરી છે. એ સેવ્યાથી રાગદ્વેષાદિ નષ્ટ થયે મોક્ષ પણ થશે.
(૮) વ્યવહારને અસત્ય માનવામાં ત્રીજી વાત એ કહી કે કેવળ નિશ્ચયને સત્યાર્થ ગણતાં નિશ્ચયનયથી તો આત્મા સદા શુદ્ધ અને કર્તવ્યહીન છે, તેથી કર્મબંધ શું કે કર્મક્ષય શું? સંસાર શું કે મોક્ષ શું ? - બધું જ કલ્પિત અને અવસ્તુ ઠરશે. પછી એવી અવસ્તુની શ્રદ્ધા-જ્ઞાનાદિ પણ અવસ્તુ ઠરશે. કિંતુ વસ્તુનું આવું એકાંત સ્વરૂપ હોય નહિ. તેથી વ્યવહારના અભિપ્રાય પ્રમાણ ગણવા જ પડે, આદરણીય કરવા જ પડે.
(૯) ચોથી યુક્તિ એ આપે છે કે વ્યવહારને કેવળ અભૂતાર્થ કહેવામાં વેદાન્તમતાનુયાયી બનવું પડશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org