________________
૧૦૭
ધર્મતીર્થની પ્રવૃત્તિ કરવા માટે વ્યવહારનય દર્શાવવો ન્યાયસંગત જ છે, પરંતુ જે વ્યવહાર ન દર્શાવવામાં આવે તો
(૧) પરમાર્થથી શરીરથી જીવ ભિન્ન દર્શાવવામાં આવતો હોવાથી જેમ ભસ્મને મસળી નાખવામાં હિંસાનો અભાવ છે, તેમ ત્રસ સ્થાવર જીવોનું નિઃશંકપણે મર્દન કરવામાં પણ હિંસાનો અભાવ ઠરશે ! તેથી બંધનો જ અભાવ ઠરશે ! વળી,
(૨) પરમાર્થથી રાગ-દ્વેષ-મોહથી જીવ ભિન્ન દર્શાવવામાં આવતો હોવાથી, “રાગી, દ્વેષી, મોહી જીવ કર્મથી બંધાય છે તેને છોડાવવો” – એવા મોક્ષના ઉપાયના ગ્રહણનો અભાવ થશે, અને તેથી મોક્ષનો જ અભાવ થશે !
આમ જે વ્યવહારનય ન દર્શાવાય તો બંધ-મોક્ષનો અભાવ ઠરે છે. પરમાર્થથી જે સંસાર-મોક્ષ બંનેનો અભાવ કહ્યો છે, તે જ એકાંતે ઠરશે. પરંતુ આવું એકાંતરૂપ વસ્તુનું સ્વરૂપ નથી; (તેમ એવી એકાંતરૂપ): અવસ્તુનું શ્રદ્ધાન-જ્ઞાન-આચરણ અવસ્તુરૂપ જ છે. માટે વ્યવહારનયનો ઉપદેશ ન્યાય પ્રાપ્ત છે.”
(૬) આમાં પણ જુઓ કે વ્યવહારનું કેવું સુંદર સમર્થન કર્યું ! નિશ્ચયનયે તો જીવ અને શરીર, બે તદ્દન નિરાળા છે; તથા જીવ અરૂપી-અચ્છેદ્ય છે, ત્યારે શરીરરૂપીને છેદ્ય છે. એટલે જીવંત શરીરને કાપી નાખનારો હિંસક નહિ ગણાય; કેમ કે શરીર તો જીવથી તદ્દન જુદું અને જડ છે. જેમ ભસ્મ જડ હોવાથી એને મસળી નાખવામાં હિંસા નથી ગણાતી, તેમ શરીરને કચરી નાખવામાં હિંસા નહિ ગણાય. વ્યવહારનયથી જીવતું શરીર આત્માથી તદ્દન જુદું નથી. તેમ આત્માને શરીર પરના આઘાતથી આઘાત થવાનું વ્યવહારનય માને છે; માટે એ તો વિવેક કરી શકશે કે શરીરને કચરવામાં આત્મા કચરાતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org