SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ પણ સુંદર દીધો કે શુદ્ધોપયોગની કક્ષા સુધી અર્થાત્ રાગ-દ્વેષ રહિત જ્ઞાનોપયોગ સુધી ન પહોંચેલો સાધક જો શુભ ઉપયોગને વ્યવહારમાર્ગરૂપ એટલે અસત્યાર્થ માની છોડી દે કે ન સ્વીકારે, તો મન નવરું તો રહેવાનું નહીં, તેથી અશુભ ઉપયોગમાં પડી સ્વેચ્છા-વર્તન કરાવવાનું; અને જીવ પરિણામે સંસારમાં ભટકી મરવાનો. તેથી નિષ્કર્ષ કાઢી આપ્યો કે શુદ્ધનયના વિષયભૂત શુદ્ધ આત્માની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી વ્યવહારમાર્ગ પ્રયોજનવાન છે; વ્યવહારમાર્ગનું પ્રયોજન સરતું હોવાથી એ અવશ્ય આદરણીય છે. પ્ર- તો સમયસારાદિ ગ્રંથમાં અહીં વ્યવહારમાર્ગ પર આટલો ભાર મૂકીને પછી પાછળથી કેમ વ્યવહારનું ખંડન કરી નિશ્ચય પ્રરૂપ્યો ? ઉ0 - વ્યવહારનું ખંડન એટલા માટે, કે નિશ્ચયનું ચોક્કસ સ્વરૂપ બરાબર સમજાય. તેમ, નિશ્ચયની પ્રરૂપણાનો હેતુ એ, કે સર્વથા શુદ્ધભાવને પામેલાની દશા કેવી હોય તે દર્શાવવુ. અશુદ્ધભાવમાં રહેલાને શો શો વ્યવહાર કેવી કેવી રીતે આદરવાનો તેનું વિસ્તૃત વર્ણન અન્ય ગ્રંથોમાં હોવાથી અહીં એને ન ચર્યો; પણ એની આવશ્યકતા ખાસ બતાવી. નિશ્ચયનું સ્વરૂપ બીજે ઓછું હોવાથી અહીં વિસ્તારથી ચચ્યું ખરું, પરંતુ નિશ્ચયના અધિકારી તો શુદ્ધભાવને પામેલાને ગણ્યા. આટલો સ્પષ્ટ વિવેક ન સમજી અશુદ્ધભાવમાં સબડતા નવા મત કાઢનારા અને એમના અનુયાયીઓ વ્યવહારનો લોપ કરવામાં બાલિશતા કરી રહ્યા છે. (૫) સમયસાર ગાથા ૪૬ના વિવેચનમાં લખ્યું છે કે અધ્યવસાનાદિ (વિચારણા વગેરે) ભાવો જીવ છે એવું જે ભગવાન સર્વશદેવોએ કહ્યું છે, તે વ્યવહારનયને દર્શાવ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy