________________
( ૧૦૪
મુજબ આચરણ અમલ કરવો જોઇએ. વળી એ પણ કહ્યું કે હજી જે જીવો પૂર્ણભાવમાં નથી પહોંચી શક્યા તે સાધક અવસ્થામાં જ રહેલા છે; તે વ્યવહારથી ઉપદેશાવા યોગ્ય છે. અર્થાત્ સાધક આત્માને અમલ માટે વ્યવહારનો જ માર્ગ હિતકારી છે; ત્યારે પૂર્ણભાવ-પરમભાવ પામેલા સિદ્ધ જીવોને અમલ માટે નિશ્ચયમાર્ગ યોગ્ય છે.
હવે આગળ જુઓ કે આ ગાથાની સંસ્કૃત ટીકામાં કેવી સુંદર રીતે આનું સમર્થન કર્યું છે. આની ટીકાના ભાષાંતરમાં આમ લખ્યું છે – “જે પુરુષો અનેક પાકોની પરંપરાથી પચ્યમાન અશુદ્ધ સુવર્ણ સમાન જે અનુકૂષ્ટ મધ્યમભાવ, તેને અનુભવે છે તેમને છેલ્લા પાકથી ઊતરેલા શુદ્ધ સુવર્ણ સમાન ઉત્કૃષ્ટભાવનો અનુભવ નથી હોતો; તેથી જેણે જુદા જુદા અનેક ભાવો દેખાડ્યા છે એવો વ્યવહારનય જાણેલો તે કાળે પ્રયોજનવાન છે. એ રીતે પોતપોતાના સમયમાં બંને નયો કાર્યકારી છે. કારણ કે તીર્થ અને તીર્થના ફળની એવી જ વ્યવસ્થિતિ છે નવું નિમિયં પર્વદ તા. મા... વ્યવહાર અને નિશ્ચય એ બંને નયોને ન છોડો...
- ત્યાં જ આના ઉપર ભાવાર્થ આ મુજબ લખ્યો છે - લોકમાં સોનાના સોલ વાલ પ્રસિદ્ધ છે... છેલ્લા તાપથી ઊતરે ત્યારે સોળવલું શુદ્ધ સુવર્ણ કહેવાય છે. જે જીવોને સોળવલા સોનાનું જ્ઞાન અને શ્રદ્ધાનની પ્રાપ્તિ થઈ, તેમને હવે) પંદરવલા સુધીનું કાંઈ પ્રયોજનવાન નથી. પણ જેમને તે પ્રાપ્તિ નથી થઈ તેમને ત્યાં સુધી પંદરવલા સુધીનું પણ પ્રયોજનવાન છે. એવી રીતે જ્યાં સુધી શુદ્ધ ભાવની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી જેટલું અશુદ્ધનયનું કથન છે તેટલું યથાપદવી પ્રયોજનવાળું છે... ત્યાં સુધી જિનવચનોનું સાંભળવું, જિન-ગુરુની ભક્તિ, જિનબિંબ દર્શન, ઈત્યાદિ વ્યવહારમાર્ગમાં પ્રવૃત્ત થવું પ્રયોજનવાન છે. જેમને શ્રદ્ધાન-જ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org