________________
૧૦૩
શકે. તેમ બધાને મૂળ સમયસારથી સમજ નહિ પડે; માટે અનુવાદ. અનુવાદ વાંચવાથી આત્મશાંતિનો માર્ગ જાણશે.' વ્યવહારની કેવીક આવશ્યકતા માની ! છતાં એ બધા વ્યવહારમૂઢ નહિ ! અને શ્રી સુધર્મા ગણધરસ્વામી વગેરેને વ્યવહારમૂઢતાની ગાળ દે છે !
(૪) સમયસારની ૧૨મી ગાથા આ પ્રમાણે છે 'सुद्धो सुद्धादेसो णायव्वो परमभावदरिसीहिं । ववहारदेसिदा पुण जे दु अपरमे ठिदा भावे ॥' એમાં આનો અર્થ આ પ્રમાણે આપ્યો છે જે શુદ્ઘનય સુધી પહોંચી શ્રદ્ધાવાન અને પૂર્ણ જ્ઞાન - ચારિત્રવાન થઇ ગયા તેમને શુદ્ધનો ઉપદેશ કરનાર શુદ્ઘનય જાણવા યોગ્ય છે. વળી જે જીવો અપરમભાવે અર્થાત્ શ્રદ્ધા તથા જ્ઞાન-ચારિત્રના પૂર્ણ ભાવને નથી પહોંચી શક્યા, સાધક અવસ્થામાં જ સ્થિત છે તેઓ વ્યવહાર દ્વારા ઉપદેશ કરવો યોગ્ય છે.' અહીં જુઓ કે જીવોના બે ભેદ બતાવ્યા; એક પરમભાવે પહોંચેલા અને બીજા અપરમભાવે રહેલા. માટે જ (૧) ૫૨મભાવે પહોંચેલા તે શુદ્ધનયનિશ્ચયનયના ઉપદેશને યોગ્ય અને (૨) નહિ પહોંચેલા તે વ્યવહારનયા ઉપદેશને યોગ્ય, એમ બે પ્રકારના જીવ થયા. પરમભાવ સુધી પહોંચેલા તરીકે પૂર્ણ શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રવાળાને ગણ્યા. હવે હાલ નવા મતવાળાના મઠમાં બધા જ પરમભાવની સ્થિતિએ પહોંચ્યા લાગે છે ! તેથી જ નિશ્ચયનયનું આલંબન ધરતા હશે ને ? એક બાજુ એ માત્ર નિશ્ચયનયનો ઉપદેશ ગ્રહણ કરે છે અને બીજી બાજુ પૂર્ણ જ્ઞાન-ચારિત્રના ઠેકાણાં નથી; તો પછી એ લિંગ કે બીજું કાંઇ ? સમયસારની આ ગાથામાં તો સ્પષ્ટ કહ્યું કે શ્રદ્ધાદિ પૂર્ણભાવને ન પહોંચે ત્યાં સુધી વ્યવહારનયનો જ ઉપદેશ ગ્રહણ કરવો જોઇએ, એ જ ઉપદેશ
Jain Education International
For Private & Personal Use Only
-
-
www.jainelibrary.org