________________
સમયસાર
પ્રવચનસારાદિ ગ્રંથોમાં
વ્યવહારનું સમર્થન
હવે એ જુઓ કે જે સમયસાર, પ્રવચનસાર અને નિયમસારના દિગંબરી ગ્રંથો પર મુખ્ય આધાર રાખીને નવો મત શરૂ થઇને ચાલી રહ્યો છે, એ ગ્રંથો પણ બાહ્ય વ્યવહારનું કેવું સુંદર સમર્થન કરે છે, અને કેવી ઉપયોગીતા બતાવે છે!
(૧) સમયસાર પુસ્તકના પ્રારંભમાં લખે છે કે ‘સીમંધર મુખથી ફૂલડાં ખરે; એની કુંદકુંદ ગુંથે માળ રે, જિનજીની વાણી ભલી.' શ્રી સીમંધર ભગવાનના મુખમાંથી દ્રવ્યશ્રુતના વચનરૂપી ફૂલો નીકળે છે અને કુંદકુંદાચાર્ય એને સમયસાર નામના ગ્રંથરૂપી માળામાં ગુંથી લે છે. અર્થાત્ પ્રભુની વાણી સાંભળી અને એના આધારે સમયસાર ગ્રંથ બનાવ્યો. આ બધું શું છે? વ્યવહાર કે નિશ્ચય ? ભગવાને બોલવું, કુંદકુંદાચાર્યે સાંભળવું, પછી ગ્રંથ રચવો અને નિશ્ચયવાદીએ ઉપરથી એના ગુણગીત, એની પ્રશંસા કરવી એ ચોખ્ખો વ્યવહાર છે.
(૨) વળી નવા મતવાળા આગળ લખે છે કે દરેક ગાથા મહામુનિના આત્મ-અનુભવમાંથી નીકળેલી છે...' કેવુંક પ્રતિપાદન ! નિશ્ચયમાંથી વ્યવહાર ! કેમકે આત્માનો અનુભવ એ નિશ્ચય છે; ને ગાથા એટલે કે શબ્દભણન એ વ્યવહાર છે. મહામુનિને નિશ્ચયે પહોંચ્યા પછી પણ વ્યવહાર આદરવાની જરૂર પડી; છતાં એ વ્યવહારમૂઢ નહિ અને અહીં ગણધર ભગવાનને વ્યવહા૨મૂઢ કહી નિશ્ચય તરફ પહોંચવા માટે વ્યવહારની મનાઇ કરવામાં આવે છે !!! છે અજ્ઞાનદશાની હદ ? અલ્યા ભાઇ ! એટલું તો સમજ કે મહામુનિએ જે આત્માનુભવમાંથી ગાથા કાઢી એ શા માટે ? બાળ જીવોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org