________________
૧૦)
આહાર, રસ, વિષયો, પરિગ્રહ, કષાય, નોકપાયો વગેરેના કુસંસ્કારો પૂર્વ ભવેથી ગાઢ બનીને આવ્યા હોય તો એને તોડવા માટે અહીં ઘણા ઘણા જોરદાર અને લાંબા બાહ્ય શુભ વ્યવહારના અભ્યાસ કરવા પડે છે; અને એ કુસંસ્કારો સામે બળવાન મને લાંબી લડાઈ કરવી પડે છે. ત્યારે એ નબળા પડે છે. વિવેક કેળવીને બાહ્યથી ક્ષમાસહિષ્ણુતાનો વ્યવહાર બહુ સેવાય, તો અંતરમાં અંશે પણ સાચો ક્ષમાભાવ પ્રગટે છે. પરંતુ એના બદલે બાહ્યથી ધમધમાટ, અસહિષ્ણુતા અને તડુકવાનું ચાલુ રાખે તો કોઈ દિ' અંતરમાં ક્ષમાનો ભાવ નહિ પ્રગટે. એમ બાહ્યથી રોફ ઘમંડની પ્રવૃત્તિઓ ચાલુ રાખી તો સમજી રાખવાનું કે અંતરમાં નમ્રતાનો ભાવ, મૃદુતાનો ભાવ જાગવાનો નથી. એવુંજ બાહ્યથી બજારોમાં જવું, વેપારો કરવા, ધંધાધાપા કરવા, એના સમાચારો રાત-દિ' સાંભળ્યા કરવા, એની વાચોચીતો અહર્નિશ કર્યા કરવી, વગેરે લોભની બાહ્ય પ્રવૃત્તિ જો ચાલુ રાખી તો અંતરમાંથી લોભ ખસવાનો નહિ. બાહ્ય સારા-નરસા વ્યવહારની અંતરમાં સારી-નરસી અસર પડે છે. માટેજ આજે ભલે અંતરમાં ખોટા વિચાર આવ્યા હોય પણ જે શુદ્ધ બુદ્ધિથી બાહ્ય સારા વ્યવહાર સારી ક્રિયામાં રચ્યો મચ્યો રહે છે, એ તો સારી પ્રગતિના માર્ગેજ પ્રયાણ કરી રહ્યો છે. એણે જરાય ડરવાનું નથી, અધીરા થવાનું નથી, બુદ્ધિથી કરેલો શુભ વ્યવહાર નકામો જતો નથી. અંતરમાં કોઈને કોઈ છૂપી સારી અસર કરે જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org