________________
૯૮૭
નિશ્ચયની પહેલેથીજ સાધના જોઈએ. નવામતમાં આ ગોટાળો છે કે નિશ્ચયની સાધના અને નિશ્ચયનું લક્ષ્ય-આ બેને એકમેક કરી દેવામાં આવે છે; અને નિશ્ચયની સાધનાનેજ કર્તવ્ય માનવામાં આવે છે. તેથી જ એ એમ સમજે છે કે ‘પૂર્વે નિશ્ચયની સાધના નહોતી, પણ વ્યવહારસાધના હતી તેથી ક્યાંથી કલ્યાણ થાય ?’ ખરી રીતે ‘પૂર્વે નિશ્ચયનું લક્ષ્ય નહોતું, તેથી કલ્યાણ ન થયું. બાકી કલ્યાણ તો તેવા લક્ષ્ય સાથે કરેલી વ્યવહારની સાધનાથી નિશ્ચયની સાધનામાં પહોંચાય ત્યારે નિશ્ચયનયના ગુણ અને ઉન્નતિ પામીને થશે,’– આ વસ્તુસ્થિતિ સમજી રાખવી જોઈએ. નિશ્ચયમાર્ગની ધૂનમાં વ્યવહારમાર્ગ એટલે ક્રિયામાર્ગને મોક્ષોપયોગી ન માને એણે જૈન તત્ત્વને ક્યાં પૂર્ણતયા માન્યું ? એ નહિ તો સમકિત ક્યાંથી રહે ? તેથીજ વ્યવહાર સૂત્રના ભાષ્યમાં વ્યવહારલોપક અર્થાત ક્રિયામાર્ગના લોપકને મિથ્યાદષ્ટિ કહ્યો છે તે ઠીકજ છે. અહીં એ બચાવ કરશે કે
પ્ર૦ :– અમે શુદ્ધ વ્યવહારને તો ઉપયોગી માનીએ છીએ. વ્યવહારાભાસને કારણભૂત નથી માનતા. પછી અમે વ્યવહારને ક્યાં લોપ્યો ?
ઉ૦ :~ પણ આ બચાવ ખોટો છે. કેમકે
(૧) તો પછી નિશ્ચય સદ્ભૂત (પારમાર્થિક) અને વ્યવહાર અસદ્ભૂત (ઔપચારિક) એમ કેમ કહો છો ?
(૨) બીજું, એ તમારો શુદ્ધ વ્યવહાર નિશ્ચયની પહેલા સાધવાનો કે પછી ? ‘પછી' કહો તો વ્યવહાર નકામો ઠરશે. કેમકે નિશ્ચયમાર્ગ પ્રાપ્ત થયા પછી વ્યવહારની શી જરૂર છે ? અને ‘પહેલા' કહો તો તો ‘વ્યવહાર પહેલો અને નિશ્ચય પછી’-એજ પાછું આવીને ઊભું રહ્યું!
(૩) ત્રીજી વાત, એ તમારો શુદ્ધ વ્યવહાર એટલે કે અંતરાત્માની અંદર ચાલતો વ્યવહાર શું બાહ્ય વ્યવહાર વિના શક્ય છે ? શું નિશ્ચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org