SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ એમાં જો ઉલટાપણું સેવાય તો લાભના બદલે નુકસાન ઊભું થાય છે. એવુંજ નિશ્ચય-વ્યવહાર નિયોમાં સમજવાનું છે. એકલા નિશ્ચયનું પૂંછડું પકડનારને વ્યવહારની વધુ અગત્ય બતાવતી રહે છે. તેમ એકલા વ્યવહારીયા બની ગયેલાને નિશ્ચયની અગત્ય દેખાડવાની આવશ્યક્તા રહે છે. આના બદલે જો ઉંધું કરાય તો ઉંટ વૈદુ થાય, અને એમાં સામાના પ્રાણ જાય. જેમકે એકલા વ્યવહારીયાને વ્યવહારની જ અગત્ય બતાવાય, તો નિશ્ચયનું લક્ષજ નહિ કરે. તેથી ઘાંચીનો બેલ ત્યાંનો જ ત્યાંજ રહેવાનો. એવી રીતે જે એકલા નિશ્ચય નિશ્ચયની રટણ કરતો હોય, એવી કે વ્યવહાર કોઈ ન આદરતો હોય, એને જો વળી નિશ્ચયની અગત્ય બતાવાય એટલે તો એ પોતાની વસ્તુને વ્યાજબી માની શુભ ધર્મવ્યવહાર કદી નહિ આદરવાનો; અને સંસારિક પાપ-વ્યવહાર છોડવાનો નહિ. તેથી મરીને બિચારો જેમ પાપ વ્યવહારથી આજ સુધી ભવભ્રમણ કરતો આવ્યો છે, તેમ હવે પણ પાપ વ્યવહારથી ભવભ્રમણ કરવાનો. પ્ર) – પહેલાં પાપવ્યવહાર તો હતો પણ નિશ્ચયની સાધના નહોતી; હવે તો એ છે, તો પછી કેમ ભવભ્રમણ ? ઉ0 – હવે પણ નિશ્ચયની સાધના કોણે સાબીત કરી ? “બસ, આપણે તો શુદ્ધ આત્મસ્વરૂપમાં રમતા રહેવું. એજ ચિંતવવું.” ગતિ આદિ પરભાવને આત્માના ઘરના માનવા જ નહિ. પર દ્રવ્યની અસર આત્મા પર માનવી જ નહિ. આ શું નિશ્ચયની સાધના છે ? શું આવા ઢોંગ પૂર્વે નહિ કર્યા હોય ? તો આજે એ ઢોંગ નથી પણ સાચી સાધના છે, એનું પ્રતીક શું? શું પાપવ્યવહાર કરતાં કરતાંય આત્માને વીતરાગી ભાવમાં રાખી શકો છો ? અને એને નિશ્ચય સાધના કહો છો ? વીતરાગી ભાવવાળાની દશા સમજો છો ખરા? એટલે વસ્તુસ્થિતિ એ બને છે કે નિશ્ચય સાધના તો હાથમાં છે નહિ અને પાપ-વ્યવહાર પૂર્વવત્ ચાલુ હોવાથી પાપસ્થાનોની પરિણતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy