________________
બળવાન માન્યા છે. તેથી એકાંતવાદનો દોષ નથી આવવાનો. હવે એ દોષ ઊભો છે કે “તો પછી નિશ્ચય જો પ્રામાણિક છે, તો એની માન્યતાઓ વ્યાજબી ઠરશે; તેથી ઉપરોક્ત દોષો કેમ નહિ આવે ?' આમ પ્રશ્ન થવો સહજ છે. પરંતુ એનો ઉત્તર એ છે કે એટલા જ માટે બીજો વ્યવહાર નય પણ તેટલો જ પ્રામાણિક માન્યો છે. નિશ્ચય અને વ્યવહાર એ રથના એવા બે પૈડાં છે કે દરેક પોતાનું કાર્ય કરે અને બીજામાં ઊભી થતી ખામીનું નિવારણ કરે. એવો નિશ્ચય પોતે મૂળ વસ્તુસ્થિતિનું સમર્થન કરે છે; અને વ્યવહાર પક્ષે આવતા દોષો નિવારે છે. એમ વ્યવહાર પોતે નિશ્ચયની ખામી પૂરે અને પોતાનું પણ કાર્ય બજાવે છે. આ હિસાબે “કોણ ગુરુ કોણ શિષ્ય' વગેરે નિશ્ચયના ઘરમાં ઊભા થતા દોષનું નિવારણ વ્યવહાર નય કરી આપે છે. એમ એકલા વ્યવહારમાં આપત્તિ એ છે કે એકલા ક્રિયાકાંડ તથા ગુરુ-શિષ્યાદિ વ્યવહાર તો ઘણા આચર્યા, છતાં કલ્યાણ કેમ ન થયું ? આ આપત્તિનું સમાધાન નિશ્ચયનય આપે છે; નિશ્ચયનય આ આપત્તિને નિવારી આપે છે. આમ બે નયો એક-બીજાના પૂરક બનીને કાર્ય કરે છે.
બુદ્ધિ-મહેનત, ભીમ-કાન્ત, ઉદાર-કરકસરી વગેરે દ્વન્દ્રોની જેમ નિશ્ચય-વ્યવહાર :- વ્યવહારમાં જેમ બે ભાઈઓમાં એક બુદ્ધિમાન અને બીજો ખૂબ મહેનત કરી શકનારો, એક ભીમ ગુણવાળો અને બીજો કાન્તગુણવાળો, એક ઉદાર બીજો વિવેકી, એમ બે જો કાર્ય કરતા હોય તો એ કાર્ય સુંદર નીપજે છે. કેમકે એકે બુદ્ધિ શ્રેષ્ઠ ખર્ચા યોજના ઊભી કરી. પણ એને અમલમાં મૂકવાની દોડધામ કરનાર જોઈશે. તેવી રીતે માનો કે દોડધામ કરનારો છે; પણ યોજના, રીત, પદ્ધતિની જ ખબર નથી, તો શું કરી શકશે? એવી રીતે અવસરોચિત ભીમ ગુણ એવો કે કડપનો ગુણ ધરાવનારા કુટુંબ પરિવારને કાબુમાં રાખશે. પણ સાથે કાન્ત ગુણવાળો વાત્સલ્ય દર્શાવી એવો સુખારાધ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org