________________
૯૧
કે નિશ્ચયમતે કર્તા-ભોક્તાપણું નહિ ઘટી શકે. શ્રી યશોવિજયજી મહારાજે નિશ્ચય માનનારાને આપેલા આ દોષ, કે “કોણ ગુરુ કોણ શિષ્ય ? કોણ કર્તા કોણ ભોક્તા ?' સર્વ સંયોગો નિશ્ચયમતે નિષ્ફળ છે, અર્થાત નિરર્થક છે, અઘટતા છે,– એ દોષોની વાત ઉડાવવા આ છેવટની ગાથાને જ નવા મતવાળાએ ઉડાવી દીધી, અને જે વ્યવહારનયથી ઉપર કહેલા દોષોનું નિવારણ થઈ વસ્તુસ્થિતિનું રીતસર સ્થાપન થઈ શકે છે, સંગતિ થઈ શકે છે, એ વ્યવહારની નિંદા કરી પૂ. ગણધર ભગવાન જેવાને વ્યવહારમૂઢ કહ્યા ! આ ખરી ગાથા છૂપાવવાની કેવી માયા, કેવી લુચ્ચાઈ? શાહુકારી તો ત્યારે કહેવાય કે એકાંત નિશ્ચયનો વિરોધ કરનારા શ્વેતાંબરમતે આપેલા દોષોનો પ્રામાણિક અને યુક્તિયુક્ત રીતે પરિહાર કરાય, એની સામે રદીયા અપાય ને વસ્તુસ્થિતિની ઠીક વ્યવસ્થા કરાય. અહીં વિફલ સંયોગ જે કહ્યું તેમાં ગુરુ શિષ્યના સંબંધની જેમ બીજા પણ સંબંધો નહિ ઘટી શકે, એ સૂચવ્યું છે. દા.ત. નિશ્ચયમતે જો પરભાવનો કોઈ કર્તાજ નહિ, તો કોણ વાદી? કોણ પ્રતિવાદી? કોણ રાજા-પ્રજા, કોણ પિતા-પુત્ર, વક્તા-શ્રોતા, પતિ (ભોક્તા) પત્ની (ભોગ્ય), શેઠ-નોકર, આશ્રયદાતાઆશ્રિત ? આ સંયોગો નિશ્ચયમતે નહિ ઘટે. ત્યારે અહીં પ્રશ્ન થવો સંભવિત છે કે,
પ્ર૦ – ત્યારે શું જૈન શાસનમાં નિશ્ચયનયને પ્રામાણિક નથી માન્યો ? જો પ્રામાણિક ન હોય તો પછી એકલો વ્યવહારનય પ્રામાણિક રહેવાથી એકાંતવાદ થઈ જશે !, અને જો પ્રામાણિક માન્યો હોય તો નિશ્ચયનયની ઉક્ત માન્યતાઓ શું ખોટી છે? સાચી હોય તો નિશ્ચયવાદીને આપેલા દોષો ખુદ જૈનદર્શન પરજ દોષ થયાને ?
ઉ0:– પ્રશ્ન ઠીક છે. પણ અહીં સમાધાન સરળ છે. જૈનદર્શને નિશ્ચય અને વ્યવહાર બંને નયને પ્રામાણિક માન્યા છે. બંનેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org