SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ નકામો ઝડપાઈ પડ્યો. એટલે કે સદોષ છૂટો, અને નિર્દોષને દંડ,એવો “પુરી એક અંધેરીને ગંડુ રાજા'નો અન્યાયી વહીવટ રહેવાનો. (૨) જ્યારે નિશ્ચયમતે પરકીય કાર્યમાં વસ્તુ નિમિત્ત બનતીજ નથી; એ હિસાબે તો કોઈનું ખૂન થયું ત્યાં ખૂનનો કર્તા બીજો માણસ નહિ કહી શકાય. તેમ ખૂન થયા છતાં જો પોતાનામાં શક્તિ હોય અને પોતે ખૂન કરનાર પર સજ્જડ ઘા કરે તો પણ ખૂનનો બદલો લઈ ખૂન કરનારો નહિ ગણાય, કે સરકારથી ખૂનના બદલા તરીકે ફાંસી ખૂનીને અપાઈ નહિ ગણાય આમ નિશ્ચયમતે ખૂનનો કર્તા કોણ? ખૂનનો ભોક્તા કોણ? અર્થાત્ જગતમાં જે વ્યવસ્થિતપણે વ્યવહાર અને તેથી જ ન્યાયી વ્યવસ્થા ચાલી રહી છે, એ બધુ નિશ્ચયમતે નકામું, ખોટું, અને ગેરકાયદેસર ઠરશે !! ખૂની એ બીજાના ખૂનનો કર્તા નહિ ! સરકારે ફાંસી દીધી છતાં સરકારની ફાંસીની સજાનો એ ખૂની ભોક્તા નહિ ! એકાંત નિશ્ચયમાં આ દોષો છે. (૩) ત્યારે ત્રીજી વસ્તુ એ ઊભી થાય છે કે અસ્તુ, જીવ બીજામાં થતા કાર્યનો કર્તા કે ભોક્તા ન બનો, પણ પોતાના થતા કાર્યનો કર્તા તો બને ને ? અર્થાત્ ખૂન કરવાનો જે પરિણામ, જે વિચાર, તેનો તો પોતે કર્તા બને ને? તેમજ એના ફળ રૂપ અશાતાનો તો ભોક્તા બની શકે ને? ત્યારે, જેનું ખૂન થયું તેને શું છે? એણે પોતે પૂર્વમાં અશુભ અધ્યવસાય સેવેલો, તેનો ત્યાં કર્તા બન્યો હતો, અને અહીં એના ફળરૂપ અશાતાનો એ ભોક્તા બને છે. આમ સંગતિ કરી શકાય કે નહિ? એનો ઉત્તર એ છે કે નિશ્ચયવાદીને ક્ષણે ક્ષણના જુદા આત્માના હિસાબે સ્વમાં પણ કર્તા-ભોક્તાની એકતા નહિ રહે. બીજું એ કે નિશ્ચયવાદી તો આત્માને સદા શુદ્ધ માને છે. પછી એનામાં અહીં હિંસાના અધ્યવસાય શા? અને અશાતાના બંધન શા? કેમકે સદાશુદ્ધ એટલે તો વીતરાગ સર્વજ્ઞ-અવ્યાબાધ-સુખવેદી. એ હિંસક શાનો? કર્મ-ફલનો ભોક્તા શાનો? એ તો અકર્તા-અભોક્તા છે. માટે કહ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy