________________
૮૯
(૩) નિશ્ચયમતે કોણ કર્તા, કોણ ભોક્તા ? – એકાંત નિશ્ચયનયવાળાને કોઈપણ ક્રિયાના કર્તા અને ફળ-ભોક્તાની સંગત વ્યવસ્થા નહિ રહી શકે. એનાં ત્રણ કારણ છે :--
(૧) એક તો નિશ્ચયવાદીને ક્ષણે ક્ષણે આત્મા જુદી માનવાનો રહે છે.
(૨) બીજું, નિશ્ચયમતે પરની ક્રિયાનો કર્તા-ભોક્તા કોઈ બનતું નથી.
(૩) ત્રીજું, પરમશુદ્ધ નિશ્ચયનયથી આત્મા સદા સ્વસ્વરૂપસ્થ છે.
આને વધુ સ્પષ્ટ કરીએ. (૧) જગતમાં પદાર્થો પ્રત્યેક સમયે પરાવર્તનશીલ છે. આત્મા જગતના એ સર્વ ભાવોનો યથાર્થ જ્ઞાતાદૃષ્ટા છે; અર્થાત એને અનુરૂપ જ્ઞાનપ્રકાશ આત્મામાં થાય છે. દરેક સમયે તે પદાર્થોના પરાવર્તવાના હિસાબે, દરેક સમયે પ્રકાશ ફરતો રહે છે અને તોજ તે જ્ઞાનનો પ્રકાશ સાચો ગણાય; નહિતર તો જો પદાર્થનું જ્ઞાન પૂર્વના પદાર્થો મુજબનું જ એનું એ રહે પણ ફરે નહિ, અને પદાર્થો ફરી ગયા હોય તો જ્ઞાન ખોટું ઠરે. હવે જ્ઞાન ગુણ આત્માથી કાંઈ જુદી વ્યક્તિ નથી, આત્મસ્વરૂપ જ છે; તેથી જ્ઞાન પ્રતિસમય ફરે છે. એટલે કે આત્મા ફરે છે. આમ સમય સમયનો આત્મા જુદો થયો. ત્યાં આ સમયનો આત્મા કોઈ ક્રિયાનો કર્તા હશે, તે પછીના સમયે તો રહેશે નહિ; અને ક્રિયાનું ફળ ક્રિયાના સમય પછી આવશે. તેનો ભોક્તા આત્મા તે સમયનો જુદો આત્મા બનશે. એટલે કર્તા આત્મા જુદો થયો, અને ભોક્તા આત્મા જુદો બન્યો. “જે કર્તા, તેજ ભોક્તા,'- એવું ન રહ્યું. અર્થાત નિશ્ચયમતે પાપ કર્યું કોઈએ, અને એનું ફળ ભોગવ્યું બીજાએ; એવી અવ્યવસ્થા ઊભી થશે. એનો અર્થ એ હિંસા કરનારને હિંસાના કટુ ફળ ભોગવવાની ચિંતા નહિ, તેમ વર્તમાનમાં કટુફળ દુ:ખ ભોગવનારો બિચારો વગર હિંસાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org