________________
८८
સમયના કેવળજ્ઞાન, ક્ષાયિક સમ્યકત્વ અને યથાખ્યાત ચારિત્રનું જ ફળ મોક્ષ માનવાનું રહેશે. એથી ખૂબી એ થશે કે તો પછી આ એકાંત નિશ્ચયના ધતિંગવાળાએ ઉપદેશ એમ કરવો જોઈશે કે “મોક્ષ માટે એ અંત્ય સમયવાળા ક્ષાયિકજ્ઞાન-દર્શન-ચારિત્રનેજ આદરો; એજ મોક્ષ આપનારા છે. બાકી લાયોપથમિક સભ્યત્વ, નિશ્ચયધર્મપ્રરૂપક શાસ્ત્રજ્ઞાન, ક્ષાયોપથમિક ચારિત્ર અર્થાત્ સરાગ સમકિત, સરાગ ચારિત્ર વગેરે મોક્ષના કારણ નથી, માટે એને ન આદરી. મોક્ષ માટે એ અહેતુભૂત છે, એટલે કે નકામા છે, તેથી એને છોડી દો.” આવો કોઈ ઉપદેશ કરવો જોઈએ; આવું તત્ત્વ બતાવવું જોઈએ. પરંતુ એમ કેમ ઉપદેશી શકાય કે “મોક્ષ ચાહતા હો તો ક્ષાયોપથમિક પણ સમકિત કે ચારિત્ર પામો. આત્માને ઓળખો; ભેદજ્ઞાન કરો; આત્મપર્યાય સુધારવા પુરુષાર્થી બનો. દ્રવ્યદષ્ટિ કેળવો, એક દ્રવ્યમાં કે એની ક્રિયામાં બીજું દ્રવ્ય નિમિત્ત ન માનતા દરેક દ્રવ્યનું સ્વાતંત્ર્ય માનો?” આવો ઉપદેશ તો, આ બધાનું ફળ મોક્ષ હોય તોજ, કરી શકાય. તેમ ચોથા પાંચમા છઠ્ઠા વગેરે ગુણસ્થાનકના ફળરૂપે કદી મોક્ષ કહી શકાય નહિ એટલે ? “મિથ્યાત્વથી મોક્ષ નહિ, સમ્યકત્વથીજ મોક્ષ; અચારિત્રથી મોક્ષ નહિ જ, ચારિત્રથીજ મોક્ષ'– આવું નિશ્ચયવાદીથી ભાખી શકાય નહિ. પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે નિશ્ચયમતીને આ આપત્તિ આપી છે; એનો પ્રામાણિકપણે ઉદ્ધાર કરી પોતાના મતને બરાબર સ્થાપિત કરી બતાવવાને બદલે નવા મતવાળા અતિ આવશ્યક એવા વ્યવહારને ઉપદેશતા એ મહાપુરુષ ઉપર વ્યવહારમૂઢતાનો આક્ષેપ કરવાનું જે કરે છે તે ખરેજ ! સ્વમતની પોકળતા સૂચવે છે. બાકી તો જગતની કેટલીય ક્રિયાઓમાં છે કે જ્યાં લોકપ્રસિદ્ધ આ ક્રિયાનું આ ફળ' “અમુક ક્રિયાનું અમુક ફળ' “અમુકથી અમુક બને” એમ વ્યવહાર ચાલે છે, અમલ ચાલે છે, તેમજ નિશ્ચયવાદી પોતે પણ એ મુજબ જ આચરણ કરે છે. પરંતુ નિશ્ચયસિદ્ધાંતના અનુસારે તો એમની એ પ્રવૃત્તિ દંભી અને પોકળ ઠરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org