________________
તમે વ્યવહારમૂઢ કહેવામાં અધમતા સેવી રહ્યા છો; માત્ર નિશ્ચયની ઉપયોગિતાની ડિંડિમ પીટવામાં તમે ઢોંગ કરી રહ્યા છો. અસ્તુ.
(ર) નિશ્ચયમાં ક્યાં ક્રિયા અને ક્યાં ફળ? – એકાંત નિશ્ચયમતે દીર્ધ ક્રિયા અને અંતે નીપજતું ફળ – બેનો મેળ નહિ ખાય; અર્થાત્
આ ક્રિયાનું આ ફળ' એવું નહિ બની શકે. કારણ એ છે કે સામાન્ય રીતે કોઈ પણ કાર્ય બનાવતાં જે એક ક્રિયા કરાય છે, તેમાં બીજી પેટા ક્રિયાઓ ઘણી હોય છે; અને નિશ્ચયમતે તે દરેક ક્રિયાનું ફળ જુદું જુદું હોય છે; જયારે વ્યવહારમતે એ પેટા ક્રિયાઓથી બનેલ એક મહાક્રિયાનું એક મહાફળ હોય છે. દા.ત. માટી લાવવાથી માંડીને પાકમાં પકવવા સુધીની કુંભારની સળંગ ક્રિયાનું ફળ ઘડો છે; તે વ્યવહારમતે. પણ નિશ્ચયમતે એમાં અગણિત ક્રિયાઓ છે. એટલે ક્ષણ ક્ષણની ક્રિયા જુદી; તેનું ફળ જુદું. માટીને પાણીથી ગુંદવાની ક્રિયાનું ફળ કણક, ચાકે ચડાવવાનું ફળ પિંડો. ચાક ચાલ્યાથી ફળસ્વાસ. આમ દરેક ક્રિયાનું ફળ જુદું જુદું હોવાથી, અંતિમ મહાફળ જે ઘડો, એ ફળ માત્ર છેક છેલ્લી ક્ષણિક ક્રિયાનું ફળ ગણાશે; પરંતુ તે પૂર્વની કોઈ ક્રિયાનું ફળ ઘડો નહિ કહેવાય. એટલે એક માટી લાવવાની ક્રિયા પણ જે અનેક ક્ષણિક ક્રિયાના સમૂહરૂપ બનશે, એમાંની છેલ્લી ક્રિયાના ફળ તરીકે કુંભારના આંગણા સાથે થતો માટીનો જે સંયોગ, તે ગણાશે; પણ ઘડો નહિ. માટે નિશ્ચયમતે “માટી કેમ લાવ્યા ?' એ પ્રશ્નનો ઉત્તર “ઘડો બનાવવા,” એમ નહિ કહેવાય; કિન્તુ “સંયોગ કરવાએમ કહેવું પડશે. વ્યવહારમતે તો પેટા ક્રિયાઓના સમૂહરૂપ એક સળંગ મહાક્રિયા મનાય છે, તેથી દરેક પેટા ક્રિયાનું પણ ફળ ઘડો કહી શકાશે.
એવી રીતે માણસ મુંબઈના પોતાના ઘરમાંથી દિલ્હી જવા બહાર નીકળ્યો. વ્યવહારવાળો તો કહી શકે કે આ એની ગમનક્રિયાનું ફળ દિલ્હી પહોંચવાનું છે; પરંતુ નિશ્ચયવાળાને તો માત્ર દિલ્હી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org