SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫ અરે! તમે પોતે નિશ્ચયના આવા જાણકાર જ્યારે પ્રવચન કરો છો, અથવા લેખ કે પુસ્તક લખો છો, ત્યારે પણ બીજાને બોધ થવાનું પ્રયોજન હૈયામાં રાખીનેજ કરો છો. તેથી તો ઉપદેશમાં જે વસ્તુ બીજાને માટે દુર્બોધ લાગે એને તમે ફેરવી ફેરવીને વિસ્તારથી વર્ણવો છો. શી જરૂર, ભાઈ ! એમ અમુક વસ્તુને બહુ વિસ્તારવાની અને અમુકને ટૂંકમાં કહેવાની ? આ કાંઈ તમારો સંમૂચ્છિમ પ્રયત્ન નથી; સભાન યત્ન છે. એમાં આ ભાન છે કે “યદ્યપિ હું તો પોતે બધું રીતસર સમજી ચૂકેલો છું; પણ આ શ્રોતાઓ આટલી આટલી અમુક બાબતોને ટૂંકમાં કહ્યાથી બરાબર નહિ સમજી શકે; માટે લાવ, એને વિસ્તારથી અને અનેક વિવિધ દાખલા-યુક્તિ સાથે કહેવા દે; જેથી એ સારી રીતે સમજી જાય.”– આ તમારો આંતરિક અભિપ્રાય જ સૂચવે છે કે તમારા ભાષણ-લેખનના વ્યવહારથી શ્રોતાને ઉપદેશ થવાનો; એટલે કે એકાંતનિશ્ચયનો તો માત્ર તમે સિદ્ધાન્ત રાખો છો; પરંતુ અમલ વ્યવહારનો કરો છો. એકાંત નિશ્ચયમતે તો શ્રોતા એના પોતાના આત્માથીજ સમજશે; તો એને તમારે સમજાવવાની જરૂર શી? એકાંત નિશ્ચયના મતે તો તમે તમારે તમારા પર્યાય શુદ્ધ કર્યો જાઓ; પણ બીજાના પર્યાય શુદ્ધ કરવાની શી જરૂર ? એ માટે ભાષણ-લેખનની શી આવશ્યકતા ? બીજી વસ્તુ એ છે કે બીજાને ઉપદેશવાની વાત પણ પછી, પરંતુ તમને કેમ સમયસારાદિમાંથી બોધ મળ્યો ? તથા તમે પોતે હજીય પૂર્વ પુરુષોના શાસ્ત્રોનો કેમ ઉપયોગ કરતા રહ્યા છો ? શું તમને નથી લાગતું કે એ વ્યવહાર કરવા પૂર્વે તમે અજાણ હતા, ને લોક અજાણ હતું; અને એ તમારા વ્યવહારો કર્યા પછી તમે જાણકાર બની બીજાને જાણકાર બનાવ્યા ? એજ સૂચવે છે કે વ્યવહારની કાર્યકરતા સમજવા અને આચરી બતાવવા છતાં કેવળ સન્માર્ગસ્થ શ્રી સુધર્માગણધર ભગવાન તથા પૂ. . યશોવિજયજી મહારાજ જેવાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy