________________
८४
શી જરૂર છે ? તેમ, વ્યવહાર વિના પહેલ-પહેલો નિશ્ચય ક્યાંથી આવી શકવાનો હતો ? કેમકે શબ્દોચ્ચારનો વ્યવહાર થયા પછી નિશ્ચયથી શ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય છે; અને નિશ્ચયમાર્ગ પ્રગટે છે. માટે તો કેવળજ્ઞાન પામ્યા પછી પણ પ્રભુ પ્રવચન-વ્યવહાર કરે છે, તે પછી નિશ્ચયથી શાસન સ્થાપના શ્રી ગણધર ભગવંતોના હૃદયમાં પ્રગટે છે.
હવે એકલા નિશ્ચય પર ભાર મૂકનારાને પૂ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે (૧) નિશ્ચયમાં કોણ ગુરુ ? અને કોણ શિષ્ય ? તેમ (૨) નિશ્ચયમાં ક્યાં ક્રિયા અને ક્યાં ફળ? અર્થાત્ કાર્ય અંગેની દીર્ઘ ક્રિયા અને એના અંતે થતા ફળનો સંબંધ ઘટી શકે નહિ. તથા (૩) નિશ્ચયવાળાને કર્તા કોણ ને ભોક્તા કોણ ? કેમકે,
(૧) નિશ્ચયમાં કોણ ગુરુ અને કોણ શિષ્ય ? – નિશ્ચયથી તો આત્મા પોતે જ પોતાનો ઉપદેશક છે અને ઉપદેશક એટલે ગુરુ. તો એ હિસાબે પોતે જ પોતાનો ગુરુ થયો, પછી બીજો કોઈ ગુરુજ ક્યાં રહ્યો ? જો કહો કે “ના, બીજો કોઈ ગુરુ છે જ નહિ, તો ભગવાનને જગદ્ગુરુ કહો છો કે નહિ ? જો કહો કે “ઉપચારથી, એટલે કે વાસ્તવિક નહિ,” તો એમણે શાસન શા માટે સ્થાપ્યું? ઉપદેશ કેમ કર્યો ? આચાર્યોએ શાસ્ત્રો કેમ રચ્યા ? પોતે જો કોઈના ગુરુ બની શકવાના નથી, અર્થાત્ કોઈને ઉપદેશક બની શકનાર નથી, તો પછી ઉપદેશ દેવાની અને આગમ રચાવવા વગેરે શાસન સ્થાપવાની પ્રવૃત્તિ નાકામીયાબ છે, બેકાર છે. એવું જ આચાર્યોની શાસ્ત્ર રચવાની પ્રવૃત્તિ પણ કોઈને બોધ-ઉપદેશ પમાડનારી ન હોઈ નકામી છે. જો કહો કે “એ ઉપદેશ, શાસનસ્થાપના, કે શાસ્ત્રરચના તો એ મહર્ષિઓનો પોતાનો આત્મપર્યાય હોવાથી એના સ્વભાવે બને છે,” તો ત્યાં પ્રશ્ન એ થાય કે પહેલાં તો એવો પર્યાયરૂપ પ્રયત્ન કરવાનું પ્રયોજન જ શું? ત્યારે શું તમે એમ કહી શકશો કે પરનું પ્રયોજન છે જ નહિ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org