________________
૮૩
સુશક્ય બને છે. આ, શ્રી સુધર્મા ગણધરદેવના મેઘકુમારે પૂર્વે ભવે કરેલી દયાથી સંસાર મર્યાદિત કર્યાનું જે કથન, તેના પરના આક્ષેપનો રદીયો થયો.
હવે પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજનું જે વચન લઈને નવીનમતવાળાએ આક્ષેપ કર્યો છે તેમાં પહેલાં તો ચોરી જુઓ.
પૂ. ઉપાધ્યાયજી મહારાજ ઉપરના આક્ષેપનો રદીયો
આત્મધર્મ માસિક અંક ૧૧૫ના પાના ૧૫૨ ઉપ૨ પૂ. ઉપાધ્યાયજી મહારાજના શબ્દ મૂકતાં,
“નિશ્ચયનય પહેલે કહે, પીછે લે વ્યવહાર; ભાષાક્રમ જાને નહિ, જૈન માર્ગકો સાર. તા તે સો મિથ્યામતિ, જૈન ક્રિયા પરિહાર; વ્યવહા૨ી સો સમકિતી, કહે ભાષ્ય વ્યવહાર.”
એમ લખ્યું પરંતુ આમાં આ બે ગાથાની વચ્ચેની પૂ. ઉ. મહારાજની બીજી ગાથા ઉડાવી દીધી. તે આ રહી.
“નહિ નિશ્ચયમેં શિષ્ય-ગુરુ, ક્રિયા ક્રિયા-ફળયોગ;
કર્તા નહિ ભોક્તા નહિ, વિફલ સબૈ સંયોગ.”
અહીં જાઓ કે પૂ. ઉપાધ્યાયજી મહારાજ દિગંબર મતનું સ્વરૂપ બતાવતાં કહે છે કે “દિગંબરો પહેલા નિશ્ચય અને પછી વ્યવહાર લે છે, પણ તે ઉપદેશનો ક્રમ અને જૈન પરિભાષાને જાણતા નથી; જૈન માર્ગના સારને પણ જાણતા નથી. એટલા માટે જૈન ક્રિયામાર્ગને ઉડાવનારા એ મિથ્યા-મતિવાળા છે, મિથ્યાદષ્ટિ છે. સમ્યગ્દષ્ટિ આત્મા તે છે કે જે વ્યવહાર માર્ગને અનુસરે છે. એ પ્રમાણે શ્રી વ્યવહારસૂત્ર ભાષ્ય ફરમાવે છે. અહીં દિગંબરને પ્રશ્ન એ છે કે પહેલાં નિશ્ચય જો આવી ગયો, તો પછી વ્યવહારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org