________________
૮૨
ઉ. :– એ બરાબર સમજી લો કે આ તમે કાચના ઘરમાં બેસીને બહારનાને કાંકરા મારવાની ચેષ્ટા કરો છો. નિશ્ચય તરીકે વીતરાગી નિર્વિકલ્પદશા જ માત્ર કેમ કહો છો ? એથી આગળ જઈ શૈલેશી અવસ્થા પછીની ચૌદમાના ઉપાંત્ય સમયની દશા જ કહો. હવે પૂર્વોક્ત ભાવોમાં એનું લક્ષ્ય નથી, એમ તમે ક્યાંથી જાણ્યું ? તમારી માફક શું બણગાં ફૂંકવાથી કે નિશ્ચય-નિશ્ચયનો પોપટપાઠ કરવાથી એ લક્ષ્ય રાખ્યું ગણાય ? જેને સર્વ કર્મથી મુક્ત થવાનું લક્ષ્ય છે, જેને સંસારમાત્રથી છૂટવું છે એન માટે જ એ લક્ષ્ય પમાડનારી નીચેની વાસ્તવિક ભૂમિકાનો યત્ન કરે છે, તે જ સાચો નિશ્ચયના આશ્રયે મોક્ષમાર્ગે છે. બાકી એ યત્નો તો કરવા દૂર રહ્યો, પણ ઉલટું એ વાસ્તવિક ભૂમિકાનો જે અપલાપ કરે છે, એનામાં મોક્ષમાર્ગીપણું જ ક્યાં છે ? ત્યારે જો એમ કહો કે
પ્ર. :– બહારની ક્રિયાથી અંદરની નિશ્ચયદશા પ્રગટવાનું માનવું એ જ ભ્રમણા છે. ત્યાં નિશ્ચય શાનો ?’
ઉ. :~ તો સમજવાની જરૂર છે કે જગતમાં એવા અઢળક દાખલા છે કે જેમાં બહારની ક્રિયા અને બહારના સંયોગોથી અંતરાત્મામાં વિવિધ શુભાશુભભાવો જન્મે છે, પોષાય છે અને વધે છે. એ સમજીને જ તમે લોકોને આકર્ષવા અનેક પ્રકારના બાહ્ય સંયોગોને ઊભા કરો છો, પોષો છો અને વિસ્તારો છો; તથા અનિષ્ટ સંયોગોને મચક પણ નથી આપતા, અને ઊભાય નથી કરતા. બાહ્ય સંયોગોથી અંતરાત્મા પર અસર થવાનું દેખો છો અને સમજો છો; અને પ્રરૂપણા જુદી જ કરો છો. તેથી ખરી રીતે સાચો નિશ્ચય શું છે એ શ્વેતાંબર શાસ્ત્રો પાસે તમારે શીખવું પડશે. કેમકે જે અમલી સ્યાદ્વાદ શ્વેતાંબરો પાસે છે, એના આધાર ઉપર જ નિશ્ચયવ્યવહારના સુનયો યથાર્થ ઠરે છે; અને એને જ અનુરૂપ જ નિશ્ચયની સાધના કાલ્પનિક નહિ પણ વાસ્તવિક થાય છે; અશક્ય નહિ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org