________________
૮૧
નિશ્ચયની વાત પણ બાવટી. મૂળતઃ શુદ્ધ શ્વેતામ્બરમતે અનંત દ્રવ્યચારિત્ર નકામા કહી આઠ ભવના નિશ્ચયલક્ષીભાવ-ચારિત્રને મોક્ષસાધક કહ્યા તે નિશ્ચયને કેટલી મહત્તા આપી ! એવુંજ
(૭) સાતમામાં દાન-શીલ-તપ-ભાવને વિષે ભાવને વિશિષ્ટ કહી નિશ્ચયની મહાન અગત્ય સૂચવી.
(૮) આઠમામાં, છ આવશ્યક કરતાં તશ્ચિત્ત-તન્મન-તલ્લેશ્ય વગેરે બનવાનું કહ્યું, એમાં પણ સામાન્ય ઉપયોગ, વિશેષ ઉપયોગ આદિ કેળવવા દ્વારા નિશ્ચયની આરાધનાનું મહત્ત્વ સૂચવ્યું.
આવા તો કેટલાય દૃષ્ટાન્તો મળે. એ બધામાં જાઓ કે નિશ્ચયપોષક ભાવધર્મને કેટલો બધો અગત્યનો ગણ્યો છે ?
પ્ર. :- “સમકિત વિનાની એટલે સમકિત પૂર્વેની દાનાદિ ક્રિયા તો નિષ્ફળને ? તો પહેલો વ્યવહાર ક્યાં આવ્યો ?’
ઉ. :– આનું સમાધાન એ છે કે સમક્તિ પૂર્વે સમ્યક્ત્વને તાણી લાવનાર જે દાનાદિ કર્યા તેમાંય મિથ્યાત્વની મંદતા કારણ છે; અને તે સમક્તિની સન્મુખ હોવાથી, તેમજ સમક્તિના માટે હોવાથી, નિષ્ફળ નથી. માટે જ એ સહિતનું અનુષ્ઠાન નિષ્ફળ નહિ ગણાય. ‘સમક્તિ વિના દાનાદિ નિષ્ફળ'નો અર્થ એ છે કે સમક્તિ કે સમક્તિની ભૂમિકા વિનાના દાનાદિ નિષ્ફળ છે. અહીં જો એમ કહો કે,
પ્ર. :– આ બધામાં ભલે ભાવધર્મની અગત્ય બતાવી, પણ તેય શુભરાગવાળો હોવાથી નિશ્ચય થોડો જ ગણાશે ? નિશ્ચય મોક્ષમાર્ગ તો આત્માની વીતરાગી નિર્વિકલ્પદશાના આશ્રયે હોય એ લક્ષ્ય આમાં ક્યાં રાખ્યું છે ? તેથી તમારો ભાવ પણ વ્યવહાર માર્ગ જ છે.' તો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org