________________
८०
(૪) ચોથામાં, વ્યવહારથી મહાશ્રાવક કે મહાસાધુ છતાં જો પાપનિયાણું કરે અર્થાત્ શુદ્ધ એવા નિશ્ચય મોક્ષમાર્ગને ચૂકી અશુદ્ધ એવા નિશ્ચય સંસારમાર્ગને સાધે તો ભવમાં ભમે એમ ઉપદેશ્યું છે. નિશ્ચયમાર્ગની કેવીક અગત્ય !
(૫) પાંચમામાં સમક્તિની હયાતિમાં જ દાનાદિ ક્રિયાને સફલ કહેતાં, સમક્તિનું એટલે કે નિશ્ચય મોક્ષમાર્ગનું ઘણું ગૌરવ કર્યું. નિશ્ચય ક્યાં ભૂલાયો છે ?
(૬) છઠ્ઠામાં તો વળી શ્વેતાંબરોએ નિશ્ચયપોષક ભાવની અગત્ય બતાવતાં અનંતા દ્રવ્ય-ચારિત્રને નકામા કહ્યા, તેના આધારે તો આ બનાવટી નવીન નિશ્ચયપંથી પોતાનો કુમત ચલાવી શકેલ છે. છતાં જાણે દેખાવ એવો કરે છે કે નિશ્ચયને તો પોતે જ માને છે અને શ્વેતાંબરો માનતા સમજતા નથી. ખેર ! તોય એણે એકાંત નિશ્ચય પકડી વ્યવહાર લોપતાં એટલું ન જોયું કે અનંતા ચારિત્ર નકામા ગયા તે ભાવના લક્ષ વિના સેવ્યા માટે, નિશ્ચયના લક્ષ્ય વિના આચર્યા માટે નકામા ગયા. બાકી તો એ જ ચારિત્ર જો નિશ્ચયનું ધ્યેય રાખી સેવવામાં આવે તો પૂર્ણ શુદ્ધ નિશ્ચય માર્ગને પ્રાપ્ત કરી આપવા સમર્થ છે. શુદ્ધ નિશ્ચય મોક્ષમાર્ગ વ્યવહાર ચારિત્રના પાલનથી જ પમાય છે. કેમ કે શુદ્ધ નિશ્ચયે પહોંચતા પહેલાં કેટલાય અશુદ્ધ નિશ્ચયમાર્ગના પગથીયાં પસાર કરવા પડે છે. ‘સંસાર ઉપાધિ છે; રાગ, શુભ કે અશુભ, બંધન છે, માટે ઉપાદેય નથી. ત્યાજ્ય છે.’ એમ કહેવા કે માનવા માત્રથી એકદમ જ રાગ છૂટી ગયો અને વીતરાગ થઈ ગયા, એવું નથી બનતું. એ તો ભાવના લક્ષ સાથે કેટલીય શારીરિક-માનસિક-કષ્ટપ્રતિકૂલતાઓભરી વ્યવહાર ચારિત્રની સાધનાઓ કર્યે જવાથી સંવેગવૈરાગ્ય-ઔદાસીન્ય વગેરે ઘડાતા ઘડાતા બની આવે છે. માટે જ, જેમ એકલાં દ્રવ્યચારિત્ર બોગસ-પોકળ, તેમ એકલી ભાવ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org