________________
(૫) સમકિત વિનાની દાનાદિ ક્રિયાઓને નિષ્ફળ કહી છે. (૬) જીવે ચારિત્ર અનંતવાર લીધા, તેને માત્ર દ્રવ્યક્રિયામાં ગણી, એ
દ્રવ્યચારિત્રો આત્મોદ્ધારક નથી બન્યા, એમ કહ્યું છે; અને
ભાવચરિત્રથી જ મુક્તિ ઉપદેશી છે. (૭) દાનાદિ ચારમાં ભાવધર્મની વિશેષતા બતાવી, એની સાધના માટે
નવપદાદિનું આલંબન કહ્યું છે. (૮) આવશ્યક (પ્રતિક્રમણ)ની ક્રિયાને તચ્ચિત્ત-તન્મન-તલ્લેશ્ય વગેરે
બની સાધે તો જ તે ભાવ આવશ્યક બને એમ કહ્યું છે.
આ આઠ મુદ્દાનું સ્પષ્ટીકરણ – અહીં (૧) પહેલામાં એ સૂચવ્યું કે “ચારિત્રની ક્રિયા ગમે તેવી ઉંચી પાળી; પરંતુ મનના ભાવ બગાડ્યા, અર્થાત્ દષ્ટિ શુદ્ધ આત્મહિતની ન રાખી તો ચારિત્ર જેવી મહાન ક્રિયાની પણ કોઈ કિંમત ન રહી. એટલે જ શુદ્ધ દૃષ્ટિનું, નિશ્ચયની પરિણતિનું ઉચું મૂલ્ય છે.”
(૨) બીજામાં ક્રિયાના ભાવને ભાવવાનું કહી કેવળ વ્યવહારમાં ન પડી રહેતાં નિશ્ચયના લક્ષ્યવાળા બનવાનું અને અંશે નિશ્ચયધર્મ સાધવાનું ફરમાવ્યું.
(૩) ત્રીજામાં, અનિત્યાદિ ભાવના અને ધર્મધ્યાનાદિનું આલંબન મનથી કરવાનું હોય છે. એમાં પણ નિશ્ચય સાધનાની પુષ્ટિ જ છે. વ્યવહારસાધનામાં તો માત્ર બાહ્ય પરિષહ-સહનાદિ અને તપ, કાયકષ્ટ વગેરે આવે ત્યારે ક્ષમાદિ યતિધર્મ, અનિત્યાદિ અનુપ્રેક્ષા, પ્રાયશ્ચિત્ત, ધ્યાન, કાયોત્સર્ગ વગેરે જે અધિક મૂલ્યવાળા તરીકે ઉપદેશ્યા છે, તે નિશ્ચયસાધનાના પોષણ અર્થે છે. કહો જો, શ્વેતાંબરોએ વ્યવહાર ઉપરાંત કિંમતી નિશ્ચયમાર્ગને ક્યાં અવગણ્યો છે? ક્યાં વિસાર્યો છે ? હજી આગળ જાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org