________________
( ૭૪
વ્યવહારના આશ્રયે મોક્ષમાર્ગ જ નથી, તો પછી આટલા બધા વ્યવહારને આચરવાનું કામ જ શું છે? પ્રયત્ન પુરુષાર્થ તો મોક્ષમાર્ગ સાધવા માટે હોય ને ? તમારે જો વ્યવહારમાં મોક્ષમાર્ગ જ નથી, તો વ્યવહારો આચર્યે જવામાં મહામૂર્ખાઈ નથી ? તમારે તે વળી ખાવા-પીવાના વ્યવહારની શી જરૂર છે? એ કાંઈ એમ જ જાણ બહાર નથી થતા; એ તો ઈચ્છાથી કરો છો. તો નિરર્થક એવા વ્યવહાર સેવવાની ઇચ્છા કરવાની હોય ?'
પરંતુ આપણે ગમે તે કહો, એ તો વ્યવહાર અને શુભરાગને નકામો નકામો' એમ કહ્યું જાય છે અને થોકબંધ અશુભ પાપપ્રવૃત્તિઓ તથા પોતાની માનેલી શુભ પ્રવૃત્તિઓ આચર્યે જાય છે. તો પછી આમાં એમના હૈયા અંગે શું સમજવું ? એમની પ્રરૂપણા એ ઢોંગ જ કે બીજાં કાંઈ ? એમને પ્રશ્ન તો એ છે કે “જેના આશ્રયે મોક્ષમાર્ગ નથી, તેને તમે સેવો છો જ શું કામ ? જે વ્યવહારના આશ્રયે મોક્ષમાર્ગ નહિ, એ વ્યવહાર તમારા મતે ઉપાદેય કહેતા હો તો ગણધરઆગમો, શ્રાવકાચાર, સાધ્વાચાર વગેરે વ્યવહાર પણ શા માટે ઉપાદેય નહિ? બીજા આચાર્યોને છોડીને કુંદકુંદાચાર્યને, બીજા ગુરુઓને છોડીને નવીન બનાવટી નિશ્ચયવાદી ગુરુને, બીજા ઉપદેશ છોડીને બનાવટી નિશ્ચયની દેશનાને, તથા શ્રીભગવતી જેવા મહાન પવિત્ર અને પ્રામાણિક આગમોને છોડી સમયસારાદિ ગ્રન્થોને જે વળગી રહેવાય છે, વળગી રહેવાનું ઉપદેશાય છે, એ વળગવાનું શું નકામા તરીકે, કે શું વીતરાગભાવે કે આના પરના રાગથી આકર્ષાઈને ? શુભરાગને તમે ક્યાં નથી આદરતા ?'
બીજી એક વાત એ છે કે શું શુભરાગ અને અશુભરાગ બન્ને સમાન કોટિના છે? તો હિંસાના પરિણામ અને દયાના પરિણામમા આત્મદષ્ટિએ કાંઈ જ ફરક નથી? તેમજ શુભરાગ જો સર્વથા હેય હોય તો જ્યાં દુન્યવી કોઈ આશંસા વિના શુભકાર્યનો રાગ થયો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org