SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ અને ઉત્કટ રાગ ધરે છે, ને બીજાને ધરાવવા અથાગ મહેનત કરે છે. પંચ મહાવ્રધારી કંચન-કામિનીના ત્યાગી સરુઓના સદુપદેશ કે એના પરનો રાગ આત્મહિતકારી નથી એમ કહે છે. જ્યારે પોતાના મતનો ઉપદેશ બહુ લાભકારી તરીકે ઠસાવવાનો પ્રયત્ન કરે છે, ત્યારે ભોળો અજ્ઞાનવર્ગ એ ઉપદેશ પર રાગી બની એના ઉપર ઝૂકે છે. આ રાગ એમને હાનિકર નહિ લાગતો હોય; તેથી જ એ કદી કહેતા નથી કે “જો જો હોં અમારા પ્રવચન ઉપરનો રાગ આત્મહિતકારી નથી માટે એવા રાગના આકર્ષણ ખોટા છે. તેથી આ પ્રવચનશ્રવણની ક્રિયામારી કરતા નહિ.” આ થઈ શુભરાગની વાત. હવે વ્યવહારની વાત. એક બાજુ દયાદાનની ક્રિયા મોક્ષોપયોગી નથી એમ માને-મનાવે છે; પણ બીજી બાજુ એમના હિસાબે માર્ગ ભૂલેલા જીવોની દયા એ ખૂબ ખાય છે. તેથી તો પ્રવચનો ઉપર પ્રવચનો કર્યે જાય છે. પોતાના એકાંત નિશ્ચયવાદી મઠમાં જીવોને આકર્ષવા શીરાપુરીના ભોજનદાન કરાવે છે. પૂછોને કે શા સારું આવા દયાદાન કરાવતા હશે ? ઉત્તર સીધો છે. એ સમજે છે કે આમ કરવાથી જ જીવો સન્માર્ગે આવી મોક્ષમાર્ગ સાધશે. વળી સામાયિક-વ્રતપચ્ચકખાણાદિરૂપી વ્યવહારના આશ્રયે મોક્ષમાર્ગ હોય નહિ એમ કહેનારા એ પોતાના થોકબંધ વ્યવહાર પોતે આચરે છે અને આચરાવે છે. પોતાના આશ્રમમાં મુમુક્ષુઓ માટે આખા દિવસના નિયત વ્યવહાર જ ગોઠવેલા હોય છે. પોતેય પ્રવચનાદિ કરવાનો નિશ્ચિત નિયમિત વ્યવહાર આચરે છે. સ્વમતપ્રચારાર્થે ગામે ગામ પ્રવાસનો વ્યવહાર, ભાષણનો વ્યવહાર, શક્ય હોય તો દિગંબર મંદિર અને સ્વાધ્યાયમંદિર ઊભું કરાવવાનો વ્યવહાર, પાછી એની આડંબરભરી પ્રતિષ્ઠાવિધિ કે ઉદ્ઘાટનવિધિનો વ્યવહાર, “આત્મધર્મ' નામનું માસિક અને દૈનિક પત્ર કાઢવાનો અને ફેલાવાનો વ્યવહાર, સ્વમતના પુસ્તકો છપાવી પ્રચારવાનો વ્યવહાર –આવા આવા તો કઈ વ્યવહારમાં રાતદિ' ગળાડુબ ડુખ્યા રહે છે. એમને કોણ પૂછે કે ભલા માણસ! જ્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy