________________
-
૭૨
રાગને પોષે છે, પણ પાપક્રિયાઓ રાગને પોષતી જ નથી ? ગમે તે હો, પરંતુ પાપક્રિયાઓ તમે અખંડ ઊભી રાખી છે, પણ છોડી નથી, એ સૂચવે છે કે તમને (૧) એ ત્યાજ્ય નથી લાગી; (૨) એના આશ્રયે મોક્ષમાર્ગને વાંધો નથી લાગ્યો; (૩) “વ્યવહારના આશ્રયે મોક્ષમાર્ગ નહિ,' એ ગોખી રાખવામાં માત્ર ત્યાગ-તપ વગેરેની ધર્મક્રિયાઓ પ્રત્યે સુગ કરવાનું કર્યું છે, પણ પાપક્રિયાઓ પ્રત્યે નહિ. નહિતર કહોને કે જેવા સામાયિક-પ્રતિક્રમણાદિ ક્રિયાઓ પર દ્વેષથી ભભકી ઊઠો છો એવા ખાનપાન-આરંભ-પરિગ્રહની ક્રિયાઓ પર કેમ નથી ભભકતા ? ભભકતા હો તો એનેય છોડી ન દીધી હોય ? ઉલટું સામાયિક પ્રતિક્રમણ-આગમસ્વાધ્યાય-પૌષધ વગેરે ક્રિયાઓ છોડી દેવાથી એનોય બચેલો સમય વધુ પાપક્રિયામાં ખર્ચો છો ! ૨. પોતાના માનેલા શુભવ્યવહારની ભરપૂર સાધના
બીજી વાત એ છે કે વ્યવહારના આશ્રયે મોક્ષમાર્ગ હોય નહિ એમ કહી વ્યવહારને એટલે શુભરાગને સંસારવર્ધક મનાવે છે; ને દયાદાનના શુભરાગથી સંસાર પરિત થાય નહિ,” એવો સિદ્ધાન્ત ધરાવે છે; તેથી જ “મોક્ષાર્થીએ દયાદાનાદિ શુભપ્રવૃત્તિ ન કરવી જોઈએ એવું ઇચ્છે છે. કેમ કે એનાથી કાંઈ જ આત્મિકલાભ નથી; એમ એ માને છે. હવે બીજી બાજુ પોતાના વાડાની માનેલી શુભ પ્રવૃત્તિઓ અને શુભરાગની ચર્ચાઓ ઘણી ઘણી આચરાવે છે. પરંતુ એ આમાં સ્વમતનો જ ઘાત કરે છે. આમ તો એ કહે છે કે પરમાત્મા મહાવીરદેવ ઉપરનો રાગ પણ નકામો છે; પરંતુ બીજી બાજુ કુંદકુંદાચાર્ય ઉપર અનહદ રાગ કરે છે અને કરાવે છે. એમ, શ્રીભગવતીજી સૂત્ર વગેરે મહાજ્ઞાની ગણધર ભગવાને રચેલા આગમો પર રાગ એ શુભરાગ હોવાથી એમને સંસારવર્ધક લાગે છે, ત્યારે સમયસારપ્રવચનસાર વગેરે અલ્પજ્ઞ પુરુષથી રચેલા શાસ્ત્ર ઉપર મહાન આકર્ષણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org