________________
= ૭૦ તો હિંસાથીય સંસાર, અને દયાથીય સંસાર ! ચોરીથીય સંસાર અને દાનથીય સંસાર ! ખરી રીતે દયાથી આત્માના અધ્યવસાય મલિન ન બનતાં નિર્મળ થાય છે. પછી એના પર અધિક વિશુદ્ધિ કરવાની તક મળે છે. નહિતર તો જે અજ્ઞાનીને બાહ્ય દયાદાન, પ્રભુની પૂજા-ભક્તિ-વિનય, વ્રત-પચ્ચખાણ વગેરે શુભવ્યવહારનું આલંબન નથી, એને કાંઈ મોક્ષ, અયોગીપણું, કેવળજ્ઞાન કે વીતરાગતા તો છે નહિ; એટલે એ રાગાદિ વશ અને મન-વચન-કાયાના યોગને વશ કાંઈને કાંઈ કરતો તો રહેવાનો. તેય શું કરતો રહેવાનો? દયા-દાનને બદલે આરંભ-પરિગ્રહ, પ્રભુભક્તિને બદલે કુટુંબસેવા, વ્રત-પચ્ચક્ખાણને બદલે ખાનપાન-વિષયભોગ-ઇન્દ્રિય-ગુલામી વગેરે વગેરે. કેવી ખૂબી થઈ ! પવિત્ર પ્રવૃત્તિ મૂકીને ગલીચ ક્રિયાને વળગી રહ્યો. એનું સેવન કરી કરીને અંતરના અશુભ રાગને એ સુદઢ કરવાનો. અશુભ રાગોત્પાદક પ્રવૃત્તિ થયા કરે એ સુદઢ કરવાનો. અશુભ રાગોત્પાદક પ્રવૃત્તિ થયા કરે તેથી અશુભ રાગ વધે, ને દઢ થાય, એમાં નવાઈ નથી. આમ અશુભ ઉવેખીને કરેલી અશુભ રાગની દઢતા દીર્ઘ સંસાર નિપજાવે છે. વ્યવહારના આશ્રયે મોક્ષમાર્ગ હોય જ નહિ
એવો સિદ્ધાન્ત છતાં બે ભયંકર ખામી
૧. અશુભ પાપ વ્યવહારની ભરપૂરતા વ્યવહારને નિંદવામાં ખૂબી એ થઈ કે શુભ પવિત્ર વ્યવહાર ગુમાવ્યો અને અશુભ પાપક્રિયા અખંડ ચાલુ રહી – વધારામાં એ પોપટપાઠ કર્યા કરશે કે “વ્યવહારના આશ્રયે મોક્ષમાર્ગ હોય જ નહિ. વ્યવહારના આશ્રયે મોક્ષમાર્ગ હોય જ નહિ; પણ એ ભાન નહિ રાખે કે “આ પાઠ પણ વ્યવહાર છે, અને એનો વિચાર (વિકલ્પ) એ પણ વ્યવહાર છે; તો એવા વ્યવહારનો આશ્રય કરાય જ શા માટે ?” વળી “વ્યવહારના આશ્રયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org