SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯ અભયદાનના શુભ પરિણામ જાગી ચારિત્રભાવ પ્રગટે છે. એમાં આગળ વધતાં અપ્રમત્તભાવ, વીતરાગદશા અને મોક્ષ નીપજે છે. પછી મૂળ કારણભૂત દયાદાનને કારણ કહેવામાં શો વાંધો ? પ્ર. – દયાદાનનો શુભરાગ જો કારણ હોય તે તો અનંતવાર કર્યા હતા; છતાં નકામાં કેમ ગયા ? ( ઉં. – દયાદાનના શુભરાગ અનંતવાર કર્યા તે નકામાં ગયા એનું કારણ એ છે કે, નકામા ગયા તે દયાદાન પોતે સ્વરૂપે નકામા હતા માટે નહિ, કિંતુ દયાદાન સંસારના પૌત્રલિક સુખની આશંસાથી કર્યા હતા માટે. એથી મોહ વધ્યો, અને દયાદાનના પ્રતાપે મળેલા ઉત્તમ મનુષ્યભવનો ઉપયોગ પાછો મોહની ચેષ્ટાઓમાં કર્યો. એથી ભવનો અંત નથી આવ્યો. પરંતુ જો નિરાશસભાવે દયાદાન કરે તો એવો અકલંક મનુષ્યભવ મળે કે જેમાં જીવન નિશ્ચયધર્મને સચોટ લક્ષ સાથે વ્યવહારધર્મનો સાધક બની ચારિત્ર-અપ્રમત્તભાવ-વીતરાગતા અને મોક્ષ પામે. એટલે સંસારવૃદ્ધિનું કારણ પૌદ્ગલિક તૃષ્ણા છે, દયાદાન નથી. દવા સાથે કુપથ્ય ખાતાં રોગ વધે, તેથી દવા રોગમાં નકામી નથી ગણાતી. દવા તો રોગ કાઢનારી છે. એમ દયાદાન પણ સંસારરોગ કાઢનાર જ છે. માત્ર પૌદ્ગલિક સુખની આશંસાનું કુપથ્ય નહિ સેવવું જોઈએ. વળી જે એ કહે છે કે “દયાદાન તો ઔદયિકભાવ હોવાથી સંસાર છે, સંસારથી સંસારનો નાશ કેમ થાય?” પણ જગતમાં ઘણાય દાખલા આવા મળે છે. દા.ત. વનમાં દાવાનળ સામેના દાવાનળથી નાશ પામે છે; કાંટો કાંટાથી નીકળે છે; એક ઝેર બીજા ઝેરને મારે છે; લોઢાની છીણી લોઢાને કાપે છે. તો અહીં શો વાંધો છે? બીજી વાત એ છે કે સંસારનો નાશ એટલે કર્મનો નાશ. એ માટે જેમ માનવભવ, શરીર, આયુષ્ય વગેરે જરૂરી છે, તેમ દયાદાનાદિ પણ જરૂરી છે. નહિતર તો જો દયાદાન જરૂરી નહિ, તો તમારા મતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy