SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ કુમતિનો બચાવ – ત્યારે ત્યાં તો તમે બચાવ કરશો કે “સમ્યગ્દર્શન પામવા છતાં હજી એને રાગદ્વેષના તેવા જોરને લીધે વિરતભાવ-અનાસક્તભાવ નથી આવતો, અને ચારિત્રથી મોક્ષ સુધી નીપજતું નથી. આમાં કાંઈ મોક્ષ માટે સમ્યગ્દર્શન નકામું નથી. સમ્યગ્દર્શન તો મોક્ષ માટે કામનું જ છે, ઉપયોગી છે. પરંતુ બીજી સામગ્રીના અભાવે કાર્ય નથી થતું.” કુમતિની ફસામણ :- બસ, બરાબર આ વસ્તુ દયાદાન કે મનુષ્યભવ અંગે કહી શકાય છે. તેથી જ એ મનુષ્યત્વાદિ મોક્ષ માટે ઉપયોગી છે, એનાથી મોક્ષ થાય છે, એમ કહેવું યુક્તિયુક્ત છે. અલબત્ત જેમ સમ્યકત્વ પામવા છતાં રાગાદિની પ્રબળતાથી ત્યાં જ ચારિત્ર કે મોક્ષ નથી મળતો, તેમ મનુષ્યભવમાં આવવા છતાં તીવ્ર મિથ્યાત્વના ઉદય અને આત્મપુરુષાર્થની ખામીને લીધે સમ્યકત્વ સહિત ચારિત્રાદિ ન પામી શકે, એવું બની શકે છે. એટલા માત્રથી મનુષ્યભવથી ચારિત્ર કે મોક્ષ નથી થતો, એમ નહિ જ કહી શકાય. નહિતર અમે પૂછીએ છીએ કે મનુષ્યભવ વિના બીજા કોઈ ભવોમાં ચારિત્ર કેમ નથી મળતું ? મોક્ષ કેમ નથી થતો ? અરે ! વીતરાગ જેવા નિર્વિકાર “અનુત્તરવાસી દેવ, કે જે વિષય વિકારથી પરામુખપણે સતત તત્ત્વચિંતનમાં સમય વ્યતીત કરે છે, એને ચારિત્ર તથા મોક્ષ કેમ નહિ? મનુષ્યભવના અભાવે જ ને? ચારિત્ર અને ક્ષપકશ્રેણી મનુષ્યભવમાં જ થાય છે અને બીજે નથી થતા, એ સૂચવે છે કે મનુષ્યભવ એમાં જરૂરી છે, કારણ છે. એવું જ દયાદાનના શુભરાગથી પરંપરાએ મોક્ષ થાય છે જ. કેમ કે પૌગલિક સુખની આશંસા રાખ્યા વિના કેવળ જીવ પરના કરુણાભાવથી કોમળ હૃદય થયે અનુકંપા અને અભયદાન કરાય, તો તે કોમળતામાંથી સારી સામગ્રીવાળો મનુષ્યભવ નીપજે છે, અને ત્યાં પૂર્વબવની કોમળતાના હિસાબે સર્વ જીવ પર દયા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy