________________
૬૪
તો તો પછી એમ કહેવું કે લખવું જોઈએ કે ‘દયાદાનરૂપી શુભ રાગથી.' છતાં ખેર ! એ એમનું ભાષાશાસ્ત્રના નિયમ બહારનું સ્વતંત્ર લખાણ જો સમજી લઈએ તો પણ એનો ભાવ ખોટો છે. કેમકે જેવી રીતે ‘અહો ! કેવો અનંતજ્ઞાનાદિઋદ્ધિમાન મારો આત્મા’ એમ તત્ત્વરુચિ થવી એ મિથ્યાત્વના ક્ષયનો પરિણામ છે, એવી રીતે હાથીને થયેલ દયાનો પરિણામ પણ મિથ્યાત્વની મંદતાનો પરિણામ છે. એને શુભરાગ એટલે કે શુભકષાય મનાવવો એ કેવી અજ્ઞાનદશા છે !
છતાંય જો કહો કે મિથ્યાત્વની મંદતાની સાથે શુભરાગ ભળેલો છે માટે અમે શુભરાગને આગળ કર્યો છે,
“તો તો શું ‘અહો ! અનંત જ્ઞાનવાન મારો આત્મા' એવું થવામાં શુભરાગ નથી ભળ્યો ? આ પણ શુભરાગનો વિકલ્પ હોવા છતાં મોક્ષાર્થીને આ આદરણીય માનો છો; તો પછી દયાદાન પણ કેમ આદરણીય નહિ ?
દયાદાન એ આદરવા યોગ્ય આ રીતે છે ઃ- અનાદિકાળથી જીવમાં ક્રૂરતા, નિર્દયતા, કઠોરતા ભરી છે. એને જો પહેલાં દયાની કોમળતાથી દૂર કરવામાં આવે, તો જ આગળ વધીને ઠેઠ વીતરાગદશા સુધી પહોંચી શકાય. અનાદિના કસાઈ જેવા ક્રૂર હૃદયવાળાને કાંઈ પહેલે તડાકે વીતરાગદશા નહિ આવે. માટે તો એ કઠોરતારૂપી જે અનાદિ ભાવમલ, તેની અલ્પતા, ડ્રાસ થવાનું લક્ષણ એવું કર્યું કે,
दुःखितेषु दयात्यन्तमद्वेषो गुणवत्सु च ।
દુઃખી જીવો ૫૨ અત્યંત દયા અને ગુણવાન આત્માઓ ઉપર અ-દ્વેષ. દયા આવ્યા વિના ભાવમળ જાય નહિ. ભાવમળ ગયા વિના સમ્યક્ત્વાદિ શુદ્ધ પરિણામો જાગે નહિ. જૈનદર્શનની આ પ્રક્રિયા અજ્ઞાનને લીધે કેવા છબરડા વળાય છે ! સહજ એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org