________________
જાઓ નવીનમતીનો વ્યવહારમૂઢતાનો આક્ષેપ નવી ઢબના સ્વપોલકલ્પિત નિશ્ચયનયને પ્રરૂપનારા આક્ષેપ આ રીતે કરે છે –
“મેઘકુમારે હાથીના ભવમાં સસલાની દયા પાળી તેથી તેને સંસાર પરીત થઈ ગયો. – એમ કહે છે, તેમજ શુભરાગથી પરીત સંસાર થવાનું મનાવે છે, પણ તે મોટી ભૂલ છે... ચૈતન્ય સ્વભાવના અવલંબને જ પરીત સંસાર થાય છે, તેને બદલે દયા-દાનના શુભભાવ તો અનંતવાર કર્યા છે છતાં પરીત સંસાર કેમ ન થયો?... દયા-દાનનો શુભભાવ તો ઔદયિકભાવ છે, તે પોતે સંસાર છે, તો તેનાથી સંસારનો નાશ કેમ થાય? ન જ થાય... એકલા વ્યવહારના આશ્રયથી જે મોક્ષમાર્ગ માને છે તે વ્યવહારમૂઢ છે.”
ખોટા આક્ષેપનો રદીયો -નવા પંથીએ ઊભો કરેલો આ આક્ષેપ જૂઠો છે, અપ્રામાણિક છે, સમજ અને વજૂદ વિનાનો છે. કેમકે પહેલાં તો “દયાદાનના શુભરાગથી સંસાર પરીત થવાનું માન્યું” એમ જે લખ્યું તેમાં “પરીત’ શબ્દ જ ખોટો છે, “પરીત્ત' શબ્દ જોઈએ, પરીત્ત એટલે “બસ”, “સમાપ્તિને પ્રાપ્ત,” “મર્યાદિત” એવો અર્થ અહીં લેવાનો છે. સંસ્કૃતમાંના “પર્યાપ્ત' શબ્દ ઉપરથી “પરીત્ત' શબ્દ બને છે. હવે અહીં ખરી વસ્તુ તો એ છે કે ગણધર ભગવાનના લેખમાં તો પ્રભુએ “પાણાણુકંપાએ' એટલે જીવની દયાથી સંસાર પરિત્ત થવાનું કહ્યું છે, માન્યું છે પણ નહિ કે દયાના શુભરાગથી. ત્યારે આ મુમતી કહે છે કે, “દયાદાનના શુભરાગથી સંસાર પરીત થવાનું માન્યું કેવું ખોટું કથન ! આવું માન્યું જ ક્યાં છે?
તો પછી જો એમ કહેવામાં આવે કે “દયાદાનના શુભરાગથી નો અર્થ “દયાદાન સંબંધી શુભરાગથી” એવો નથી પરંતુ “દયાદાન કરવાનો જે શુભ પરિણામ શુભભાવ આત્મામાં જાગે છે એ શુભભાવરૂપી શુભરાગથી’ એવો અર્થ લેવાનો છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org