SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ પ્રવૃત્તિઓ એ કરે છે. ટૂંકમાં પોતે બોલે છે શું, અને પાછું આચરે છે શું, એની આ નવીન ઢબના નિશ્ચયવાદીને ખબર જ નથી ! ‘બિલ્લી આવે તો ઊડ જાના' એવું ગોખતા ફકીરના પોપટની જે સ્થિતિ હતી, તેવી આમની સ્થિતિ છે. પોપટને ખબર નથી કે, ‘બિલ્લી આવે’ નો અર્થ શું, ‘ઊડ’નો અર્થ શું? તેમ આમની દશા છે. શ્રી ગણધર ભગવાનના શબ્દો : આક્ષેપની પોકળતા :- હવે પ્રસ્તુત લેખનું ખાસ કારણ જે, શ્રુત કેવલી ૫૨મગુરુ શ્રી સુધર્મા ગણધરભગવાન અને પૂ. પ્રખર ન્યાયાચાર્ય ઉપા. શ્રી યશોવિજયજી મહારાજ તથા શ્વેતાંબર સંઘ પર એમણે (નવા મતે) આક્ષેપ કર્યો છે, તેનો વિચાર કરીએ :– શ્રી ગણધર ભગવંતની રચેલી દ્વાદશાંગીમાં શ્રીશાતાધ્યયન નામનું છઠ્ઠું અંગ છે. એમાં શ્રી સુધર્માસ્વામી ભગવંત શ્રી જંબુસ્વામીજીને ઉદ્દેશીને કહે છે કે, “પ્રભુ શ્રી મહાવીરદેવ પાસેથી જે મેં સાંભળ્યું તે હું કહું છું.” એમ કરી પ્રભુના જ વચન તરીકે વક્તવ્ય રજુ કરે છે. એમાં પહેલું અધ્યયન મેઘકુમાર મહામુનિનું છે. મેઘકુમાર મુનિને ચારિત્રમાં શિથિલ પરિણાય થયેથી, એમને પ્રભુ શ્રી મહાવીરદેવ, એમનો પૂર્વનો હાથીનો ભવ યાદ કરાવીને કહે છે કે ‘ડ્યું હતુ મેહા ! તાર્ પાળાનુ પાછુ સંસારે પરિત્તીર્ ।' – ‘હે મેઘકુમાર ! તિર્યંચ હાથીના ભવમાં સસલાની દયાથી તેં સંસારને લગભગ સમાપ્ત મર્યાદિત કરી લીધો.' (તો પછી આ મનુષ્યભવમાં ચારિત્રજીવનમાં સંયમી મુનિઓ પ્રત્યેના ભક્તિભાવથી શું સારૂં નહિ નીપજે ? તો તું એને કેમ ચૂકે છે ?) ― ધ્યાન રાખજો, કે આ પ્રભુનાજ શબ્દ છે. હવે આના પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy