________________
૬૦
એને એ છોડયે પાલવે નહિ. એને માટે એ ઔષધરૂપ છે. ત્યાં એ બધાના ભેગા મિથ્યાદેવાદિને નમે-માને એ એના માટે ધર્મરૂપ છે, પણ સમકિતી માટે પાપરૂપ છે. તેથી સમકિતીને એ ઔષધ નહિ.
એવી રીતે સમકિતીને સાધર્મીભક્તિ કરણીય છે; એને માટે એ રસોઈ વગેરેના મોટા સમારંભ પણ કરે તોય તે એને ધર્મકર્તવ્યમાં જાય છે; પણ નહિ કે પાપમાં. પરંતુ શ્રાવકપણે સામાયિક-પૌષધ લઈ બેઠો હોય ત્યારે એ અકરણીય છે. ત્યાં જો એ સામાયિકમાં રહ્યો સમારંભ કરવા જાય તો તે પાપરૂપ થાય. અર્થાત્ અસામાયિકમાં જે વ્યવહાર ઔષધરૂપ છે, તે જ વ્યવહાર સામાયિકમાં પાપવર્ધક–રોગવર્ધક બને છે. એમ ગૃહસ્થને પૌષધમાં સાધુની જેમ ઠામઠામ ગોચરી વહોરવા જવાની નથી હોતી. કેમ કે તેથી ‘ગૃહસ્થ થઈ ભીખ માગે છે !' એવી લોકનિંદા થાય. એને કાં તો ઘરેથી પૌષધશાળાએ મંગાવીને અગર ઘરે જઈને ભોજન કરવાનું હોય છે. એમ કરે એ પોતાને માટે ઔષધરૂપ છે. પરંતુ સાધુ એમ ભોજન મંગાવે કે કરવા જાય તો એના માટે પાપરૂપ છે; ઔષધ નહિ પણ ઝેર છે.
આનું તાત્પર્ય શું ? એ જ કે ઉપરની સાધુની કક્ષામાં ભિક્ષાચર્યા એ જ માર્ગ છે. એ જ આરાધ્ય છે. અને સ્વયંપચન એ ત્યાજ્ય છે. તેથી કાંઈ નીચેની કક્ષાવાળા ગૃહસ્થને એ ન ફરમાવાય. એને આરંભ ત્યજાવી ભિક્ષા ન આદરાવાય. કક્ષા પ્રમાણેની સાધના હોય તો સાધક ઉંચે ચઢી શકે; નહિતર ઉલટા નીચે પડે. બાળ જીવો બહારના અશુભ દુન્યવી નિમિત્ત કારણો અને આલંબનોની અશુભ ભાવમાં તણાઈ જ જાય છે. એનું મન કાર્ય કરતું જ રહે છે. તો એની કક્ષા એ ગણાય કે એથી એને બચાવવા શુભ ધાર્મિક વ્યવહાર અને આલંબનોમાં એને જોડો, તો પેલી અસર ઓછી થશે. પછી ભલે અહીં શુભભાવ જાગે, પણ પછી એ શુભ ભાવને તત્ત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org