________________
૫૯
પકડાવે, અને નિરનિરાળી કક્ષાના જુદા જુદા વ્યવહારના ઔષધ છોડાવી દે, અગર લેવા ન દે, એ મૂર્ખ ઠરે; સામાનું નિકંદન કાઢનારો બને. ત્યારે પૂછો કે,
પ્ર. – નિરનિરાળી કક્ષાના જુદા જુદા વ્યવહારના ઔષધ શી રીતે?
ઉ.:- મિથ્યાષ્ટિ માર્ગાનુસારી જીવ માટે વ્યવહાર જાદો છે ને સમ્યગદષ્ટિ જીવ માટે જુદો છે. એથી આગળ, સામાયિકાદિમાં રહેલાનો વ્યવહાર જુદો, અને સાધુનો વ્યવહાર જાદો. એમાં એકને માટે જે આચરણીય વ્યવહાર છે, તે ઉપરની કક્ષાવાળાને ત્યાજય પણ બને છે. પણ ઉપર જઈનેય ત્યજવાનો છે ને, એમ કરી જો નીચેની કક્ષાવાળો પણ એને ત્યજી દે તો એ ઊંચો જ ન આવી શકે. દા.ત. યોગની પૂર્વે સેવામાં મિથ્યાદષ્ટિ જીવને ફરમાવવામાં આવ્યું કે દુરાગ્રહથી એક દેવ અને એક જ ધર્મની ખોટી વ્યક્ઝહવાળી પકડ ન રાખતાં મધ્યસ્થભાવે ચારિસંજીવની ન્યાયથી સર્વ દેવ ભજવા, અને સત્યની ગવેષણા ચાલુ રાખવી; એમ કરતાં એકવાર સત્યદેવ, સત્ય ધર્મ હાથ લાગી જશે. હાથ લાગ્યા પછી એની શ્રદ્ધા બેઠી એટલે હવે એને જ પકડી બીજા મિથ્યા ધર્મો ત્યજી દેવા. જૈન ધર્મની જ શ્રદ્ધારૂપી સમક્તિ થયા પછી હવે બીજા દેવાદિને મનાય-પૂજાય નહિ. હવે તો જો મિથ્યા દેવાદિને માને તો સમ્યકત્વ ગુણ ગુમાવી દે; આગળ વધવાને બદલે પાછો મિથ્યાત્વમાં પડે. પરંતુ એની માફક “મિથ્યાદેવો તો ત્યાજ્ય છે,” એમ કરી પહેલે ગુણસ્થાનકે રહેલો જૈનેત્તર મધ્યસ્થ મિથ્યાદષ્ટિ, પાછી સાચાની ખબર નથી માટે, બધા દેવને માનવાનું મુકી દે તો ધર્મરહિત બનવાની સાચા દેવગુરુનેય પામવાનો અવસર શી રીતે મેળવે ? સમકિતીના હાથમાં તો સાચા દેવાદિ આવી ગયા છે, પણ મિથ્યાષ્ટિને એની પ્રાપ્તિ કે પિછાણ નથી. એટલે એને તો બધા સમાનનો સમૂહ છે ત્યાં સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org