________________
૫૮
કરવી, પણ કારણવશાત્ તે ન બની શકી તો અપવાદની રીતે પણ અવશ્ય કરવી દા.ત. ઉત્સર્ગથી જિનપૂજા મધ્યાહ્નકાળે, અને પ્રતિક્રમણ સંધ્યાકાળે કરવાની છે. પરંતુ ધારો કે એ વખત મૂછમાં કે કોઈ ગાઢ કારણમાં ગયો. તો પછી અપવાદથી પૂજા-પ્રતિક્રમણ આગળપાછળના સમયમાં કરવા. આમ પણ કરે તે આરાધક કહેવાય, અને ઉત્સર્ગ પકડીને ન કરે તો દોષભાગી થાય. એમ માત્ર અપવાદને પકડી કોઈ કારણ વિના ક-વખતે કરે તોય દોષપાત્ર થાય. અર્થાત્ ઉત્સર્ગના સ્થાને અપવાદ ન સેવાય, અપવાદના સ્થાને ઉત્સર્ગ ન પકડી રખાય; સંસાર-વ્યવહારમાં પણ એમ જ ચાલે છે. ઉત્સર્ગથી જમવાના સમય નિયત છે. અપવાદે અન્ય સમયે પણ જમવું જ પડે છે. આ થયો સંસાર વ્યવહારમાં ઉત્સર્ગ-અપવાદ. એવી રીતે ખાનપાન એ નિત્ય કર્તવ્ય; અને બિમારીમાં ઉચિત ઔષધ સેવન એ નૈમિત્તિક કર્તવ્ય; તથા સાલગીરીમાં મિજબાની વગેરે કામ્ય કર્તવ્ય. આ કર્તવ્યોના નિયમન અને લાભ અલગ અલગ હોય છે.
મગ-અડદ ભેગા ભરડે તે કૂવડ – આ બધો ઉત્સર્ગ, અપવાદ...વગેરે કર્તવ્યોનો ભેદ અને એની જુદી જુદી મર્યાદાઓ શું સૂચવે છે ? એ જ કે મગ-અડદ બધું ભેગું ન ભરડાય. એવું કરનારી પટલાણી ફૂવડ કહેવાણી; હાડકાની હરામ ગણાઈ; અને પટેલથી પીટાઈ. એમ આરાધનાના જુદા જુદા પ્રકારોને “આ તો બધા વ્યવહાર છે; અને વ્યવહારના આશ્રયે મોક્ષમાર્ગ હોય નહિ એમ કરી એ બધાને એક જ “ત્યાય' ની ઘંટીમાં ભેગાં ઘાલે, એટલે કે એને આરાધવા છોડી દે, એ ફૂવડ અને હાડકાના હરામ ગણાય; અને કર્મનો માર ખાય.
એવું જ, એક જ દવાએ બધા રોગ ન જાય. ગૌરીશંકર વૈદ એકમાત્ર નેપાળાની ગોળીઓ લઈ ગામડામાં વૈદું કરવા બેઠો તો મૂર્ખ ઠર્યો. એમ એક માત્ર “નિશ્ચયદષ્ટિ' “વીતરાગી દશા” બધાને
પટેલથી પણ ફુવડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org