SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય નિવેદન કરવાનો અમૂલ્ય લાભ પ્રાપ્ત થયો છે. તે બદલ અમારૂં ટ્રસ્ટી ગણ ગૌરવ ને આનંદ અનુભવે છે. આશય તો એક જ છે. કે પૂ. સાધુ-સાધ્વીજીઓ - વિદ્યાપ્રેમીઓ તથા શ્રુત ઉપાસકોને અલબત્ બાળકથી લઈ સાધક કક્ષા સુધીનાં સર્વ જીવોને આ પુસ્તક પ્રેરણાદાયી - સહાયક બળ તરીકે ઉપયોગી બને તે માટે પ્રાકૃત - સંસ્કૃત માં સ્તોત્રોનાં ગુજરાતી-હીન્દી ભાષામાં અનુવાદ કરી તૈયાર કર્યા છે. તથા મંત્રો - યંત્રો અને વૈવિધ્ય સભર ૨૫૦ ઉપરાંત ફોટા ઓ મુકી ગ્રંથને સમૃદ્ધ બનાવ્યો છે. સ્તોત્રાદિ નાં અનુવાદ માટે ફાળો આપનાર પંડિતવર્ય શ્રી ગિરીશભાઈ જાની નો હાર્દિક આભાર માનીએ તેટલો ઓછો છે. તથા મલ્ટી ગ્રાફીકસ વાળા મકેશભાઈએ જે ઉત્સાહ અને પ્રેમથી આ ગ્રંથને સર્વાગ સુંદર બનાવવા ભારે જહેમત ઉઠાવી છે. તે પ્રશંસા પાત્ર જ નહીં અભિનંદનીય પણ છે. તથા નામી-અનામિ ભક્તોએ પ્રત્યક્ષ કે પરોક્ષ જે પણ વિશિષ્ટ ફાળો આપ્યો છે. તે ગણના પાત્ર છે. લી. શ્રી. જ. પ્ર. સપાર્શ્વનાથ ઉપાશ્રય જૈન સંઘ. વાલકેશ્વર મુંબઈ વીતરાગ પ્રણીત જેન શાસન અનેકવિધ વિશિષ્ટતાઓ થી. આજનાં વિષમકાલેપણ સમૃદ્ધ રહેલું છે. અને જગતનાં વિશાળ ફલક ઉપર પોતાની સ્યાદ્વાદ શૈલીથી પદાર્થોની જે સૂક્ષ્મતમાં છણાવટ ધર્મ-કર્મ નાં માધ્યમ થી થયેલી છે. તેમાંય નય - નિક્ષેપ - પ્રમાણ - તર્ક - યુકિત વિગેરેથી જડ - ચેતનતત્વોનું નિરૂપણ. થયેલું છે. જેમાત્ર દષ્ટિપાત થી જ અંતર માં જ્ઞાનાનંદ નો સાગર હીલોળા લે છે. વિશિષ્ટ બહુશ્રુત - આગમધર, ગીતાર્થ ગુરૂ ભગવંતો એ, તે જ્ઞાન, ગ્રંથોમાં સ્થાપિત કર્યું છે. તે સમ્યગ જ્ઞાન એ જીવનનું સર્વોત્તમ આભૂષણ કહ્યું છે તે યથાર્થ છે. સમ્યગ જ્ઞાન ની આરાધના વિના કયાંય વાસ્તવિક સફળતા જ નથી. તેથી સર્વ શકિત-સંપત્તિ-સમૃદ્ધિ નું મૂળ જ્ઞાન જ છે. તે જ્ઞાન ની અધિષ્ઠાત્રી તરીકે જેનોની પરિભાષામાં મૃતદેવતા તરીકે સ્વીકાર થયો છે. અરિહંત ભગવંતનાં મુખમાં વસનારી સરસ્વતી દેવી જ્ઞાન - વિજ્ઞાન અને પરમોચ્ચ લક્ષ્ય સુધીનો માર્ગ બતાવનારી છે. તે માટે તેમની ભકિત સ્વરૂપ શ્રી સરસ્વતી દેવીની પ્રથમ આવૃતિ માં પ્રકાશીત (શ્રી રાંદરે રોડ છે, મૂર્તિ, જૈન સંઘ દ્વારા) તથા બીજાં અનેક સ્તોત્રો - મંત્રો - યંત્રો અને વિશિષ્ટ કલાકૃતિ વાળા ફોટાઓથી ગુજરાતી - હિન્દી અનુવાદ સાથે આ પુસ્તક તૈયાર થયું છે. વિ. સં. ૨૦૫૩ ઈ.સ. ૧૯૯૭ ની સાલમાં શાસન સમ્રાટ સમુદાય નાં જિન શાસન શણગાર આ. શ્રી વિજય ચંદ્રોદય સૂરીશ્વરજી મ.સા. ને ગોવાલીયા ટેન્ક માં ચાતુર્માસ માટે ભાવભરી વિનંતી કરતાં સંજોગો ન હોવા છતાં ઉદારતાથી જે અનુમતિ આપી અને પ્રવર્તક મુનિ કલ્યાણચંદ્ર વિજય મ.સા. મુનિ નિર્મલચંદ્ર વિજય મ.સા. અને મુનિ કુલચંદ્ર વિજય મ.સા. એ શ્રી સંઘમાં જે ઉમંગ ઉલ્લાસથી વિવિધ સમ્યગ આરાધનાઓ કરાવી તેનાથી અમો શ્રી સંધને આનંદ / સંતોષ અત્યધિક પ્રાપ્ત થયો હતો. મનિ કુલચંદ્ર વિજયજી જ્ઞાન - ધ્યાન ની પ્રવૃત્તિ માં વ્યસ્ત રહેલાં જાણી તેઓ દ્વારા જે શ્રી સરસ્વતીજી નું પુસ્તક તૈયાર થયું છે. જે અમૂલ્ય નજરાણાંરૂપે પૂ. સૂરિવરો -સાધુસાધ્વીજી મ.સા. જેનેતર વિદ્રધ્વર્ય અને ભાવુકોમાં સાબિત થયું છે. અને ક યુનિવર્સિટી લાયબ્રેરી-જ્ઞાન ભંડારોમાંથી તથા સંસ્કૃતવિદોતરફથી જે હાર્દિક અનુમોદના-પ્રશંસા પ્રાપ્ત થઈ છે અને પુનઃ સંવર્ધિત-અનુવાદ સહ પ્રકાશન થાય તેવી પ્રેરણા સૂચનો આત્મીયજન સમૂહમાંથી વારંવાર પ્રાપ્ત થતાં હતાં. ત્યારે તેઓની માં સરસ્વતી પ્રત્યેની આંતરિક ભકિત અને ઉંડો પ્રેમ છલકાતો જોવા મળ્યો છે. આવા વિશિષ્ટ ગ્રંથોનું સંપાદન કરવા માટે પૂજ્ય આચાર્ય શ્રી ચંદ્રોદય સૂરીશ્વરજી મ.સા. ની પ્રેરણા થતાં અમો શ્રી સંઘને જ્ઞાન ખાતામાંથી આ પુસ્તક પ્રકાશન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy