SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ સરસ્વતી મંત્ર વિભાગ..... મંત્રજાપ શરૂ કરતા પહેલા અતિ જરૂરી સામાન્ય વિધિ ચાને સાધનાશુદ્ધિ ૧. કોઈ પણ પ્રકારના દેવ-દેવીઓના મંત્ર જાપની શરૂઆત કરતાં પહેલાં ગુરુ મ. સા. ની આજ્ઞા કે અનુભવી વડીલોની સંમતિ લેવી. ૨. કોઈપણ મંત્રની શરૂઆત શુદ્ધ દિવસે-ચંદ્રબળ વિગેરે જોઇ શ્રેષ્ઠ સમયે ચાલુ કરવી. ૩. મંત્ર સાધના માટે તીર્થભૂમિ, વનપ્રદેશ, પર્વતના ઉંચા સ્થાને, નદીતીરે, અથવા દેરાસર-ઉપાશ્રય કે ઘરના એકાંત સ્થાનમાં જ્યાં શાંતિ-સ્વચ્છતા ને સ્વસ્થતા જળવાય ત્યાં જાપ કરવો. ૪. પ્રભુપ્રતિમા કે ઈષ્ટદેવ-દેવીઓની પૂર્વદિશામાં વિધિપૂર્વક સ્થાપના કરી જાપ કરવો. ૫. જાપ દરમ્યાન સંપૂર્ણ માન રાખવું અને શાંત બનવું. જાપ કરતા પહેલાં જગ્યા શુદ્ધ કરી શુદ્ધ (કોરા) વસ્ત્રો પહેરવા. ૭. ધૂપ-દીપ અને સુગંધી વાતાવરણ વચ્ચે જાપ ચાલુ કરવો. ૮. કોઈ પણ મંત્રની શરૂઆત કરતા પહેલા ઓછામાં ઓછી ૧ બાધા પારા-(૧૦૮)ની શ્રી નવકાર મંત્રની માળા ગણવી. ૯. મા સરસ્વતી દેવીની સાધના કરતા પહેલા પવિત્ર સ્થાને ભગ. મહાવીર સ્વામી, શ્રી ગૌતમસ્વામી અને મા સર. દેવીની મૂર્તિ અથવા આકર્ષક ફોટાઓ સુંદર લાગે તે રીતે મૂકવા. તેની સ્થાપના તે રીતે કરવી જેથી પડી ન જાય અને ખસેડવા ન પડે. અને સર. દેવીની પીઠિકા રચવી. ૧૦. મંત્ર જાપ સ્ફટિકની માળાથી અથવા સુતરનીમાળાથી કરવો. અને તે માળાથી બીજો કોઈ મંત્રનો જાપ ન કરવો તથા બીજા કોઈને ગણવા ન આપવી. ૧૧. જાપની દિશા-પદ-આસન - માળા-સમય એ કનિશ્ચિત રાખવા. ખાસકારણ સિવાય ફેરફાર ન કરવો. ૧૨. જેટલી સંખ્યામાં જાપ નકકી કરો તેટલો રોજ અખંડપણે નિયમિત ગણવો, વચમાં એકપણ દિવસ બાકી ન રહી જાય તે ખાસ લક્ષ્ય રાખવું. ૧૩. જાપ વખતે પદ્માસન ફાવે તો તે, નહિંતર સુખાસને બેસી દ્રષ્ટિને પ્રતિમા સન્મુખ કે નાસાગ્રે સ્થિર કરી જાપ કરવો. ૧૪. મંત્ર જાપ દરમ્યાન મનમાં ઉચાટ-ઉદ્વેગ કે ખિન્નતા ન રાખવી. કલુષિત મનથી કરેલો જાપ નિષ્ફળ જાય. ૧૫. જાપ ઉતાવળથી કે અસ્પષ્ટ ઉચ્ચારથી ન કરવો, જાપ થોડો થાય તો ચાલે પણ શુદ્ધ અને મન પ્રસન્ન રહે તે રીતે નિયમિત કરવો. ૧૬. જાપ કરતાં વચમા ખાડા પડે, સળંગ ન થાય તો તે ત્રુટિતા ગણાય. તેથી અખંડ (દિવસ ન પડે તે રીતે ગણવો, જે દિવસે ખાડો પડી જાય તો બીજા દિવસે નવેસરથી ગણવો. ૧૭. જાપ વખતે દાંતો પરસ્પર અડેલા ન રાખવા, બંને હોઠ અડેલા રાખી શરીરને ટટ્ટાર અને સ્થિર રાખવું. ૧૮. મંત્ર જાપની શરુઆત શ્રેષ્ઠ મુહર્તે સૂર્યસ્વર ચાલતો હોય (પોતાના જમણાં નાકમાંથી શ્વાસ ચાલતો હોય, ત્યારે પ્રબળ સંકલ્પ કરીને કરવો, ત્વરિત સિદ્ધિ મળે. ૧૯. કોઈ પણ મંત્ર વિધિપૂર્વક ગર મ.સા. પાસેથી ગ્રહણ કર્યા બાદ ઓછામાં ઓછો ૧૨૫૦૦ નો જઘન્યથી કરવો. ૧૫ લાખનો જાપ અવશ્ય ફળ આપે અને તેથી વધુ થાય તો વધુ સારું (ઉપરોકત નિયમપૂર્વક ગણેલો હોય તો). ૨૦. જાપ દરમ્યાનના દિવસોમાં એકદમ સાદો અને હળવો આહાર લેવો. અભક્ષ્ય- કંદમૂળ, તામસી વસ્તુઓ કે બજારની ખાદ્ય ચીજોનો અવશ્ય ત્યાગ કરી બ્રહ્મચર્યના પાલનપૂર્વક કરવો. ૨૧. આરાધના શરુ કરતાં પૂર્વે 2 તાર્થR ITUTધન,માતુ UT: योग: फलतु श्री लब्धिधरगौतमकृपया च ५६ जोलीने यातु કરવો તથા ___ "इमं विज पउंजामि सिज्झउ मे पसिज्झउ'' એ પદ બોલીને ચાલુ કરવો. જેથી બધો જાપ સફળ થાય. અને જાપ પૂરો થયા બાદ ક્ષમાપના માંગવી. ૨. સાધના સિદ્ધિના સહાયક અંગો (૧) એક દ્રઢ નિર્ણય (૨) શ્રદ્ધા-સ્વજાપમાં વિશ્વાસ બાહુલ્ય. (૩) શુદ્ધ આરાધના (૪) નિરંતર પ્રયત્ન (૫) નિંદાવૃત્તિ ત્યાગ (૬) મિતભાષણ (૭) અપરિગ્રહવૃત્તિ (૮) મર્યાદાનું પૂર્ણ પાલન. Jain Education International For Private & Personal Use Only nal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy