________________
અનુભવ અર્કઃ ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ
૯૫
ઉપાસકદશા સૂત્રમાં શ્રાવકોની વિસ્તૃત દિનચર્યાનું વર્ણન છે. પણ ત્યાં ક્યાંય પૂજા કરવા બાબતનું કેદેરાસર બાબતનું કોઈવર્ણન કેવિધાન નથી. તેમના પરિગ્રહમાં પણ દેરાસર હોવાનો ક્યાંય ઉલ્લેખ નથી.
આચારાંગ સૂત્ર, સૂયગડાંગ સૂત્ર, દશાશ્રુતસ્કંધ સૂત્ર, બૃહત્કલ્પ સૂત્ર, નિશીથ સૂત્ર, ઉત્તરાધ્યયન, દશવૈકાલિક વગેરે સૂત્રોમાં સાધુ-સાધ્વીના આચારોનું વર્ણન છે, પરંતુ દેરાસર બાંધવાનું દર્શન કરવા જવાનું કે ચૈત્યવંદન કરવા અંગેનું વર્ણન ક્યાંય પણ નથી. નિશીથ સૂત્રમાં હજાર-બે હજાર પ્રાયશ્ચિત્તો કહ્યાં છે, પરંતુ તેમાં મંદિર મૂર્તિ દર્શન વગેરે સંબંધી એક પણ પ્રાયશ્ચિત્ત કહ્યું નથી !
દેવલોક વગેરેની મૂર્તિઓ શાશ્વત છે અર્થાત્ અનાદિ છે, જ્યારે પ્રત્યેક તીર્થકરોનો આદિ અને અંત (મોક્ષ) છે. એટલે શાશ્વત અનાદિ મૂર્તિઓ તીર્થકરોની ન હોઈ શકે.
ઉદ્ગલોકમાં, તિસ્કૃલોકમાં મૂર્તિઓ છે, પરંતુ ઉક્ત સાધુ શ્રાવકના આચાર શાસ્ત્રોમાં કોઈ પ્રાયશ્ચિત્ત વિધાન ન હોવાથી મૂર્તિપૂજા, મૂર્તિ દર્શન તથા મંદિર, શાસ્ત્ર વિહિત થતાં નથી અને આગમોક્ત મૂર્તિઓ અનાદિ હોવાથી તે તીર્થકરોની ન હોઈ શકે. એટલે સાવધ કાર્યના ત્યાગમાં રત સાધુ કે શ્રાવકનો મૂર્તિપૂજા સાથે કોઈ સંબંધ નથી, શ્રાવકની અગિયાર પડિમાના વર્ણનમાં પણ ક્યાંય મૂર્તિપૂજાનો ઉલ્લેખ નથી.
એટલે આગમ કથિત અને ક્યારેક કોઈના દ્વારા ન રચાયેલાં એવા અનેક અનાદિજિનાલયો, મૂર્તિઓના વર્ણનો તથા ગ્રંથોના હજારો મંદિર બનાવવા સંબંધી વર્ણનો જે છે તેને, સાધુ શ્રાવકના આચાર સાથે નિસ્બત નથી. તેથી તેના વડે સાધુ શ્રાવકની જીવનચર્યામાં મૂર્તિપૂજાનો આગ્રહ શાસ્ત્ર સંમત નથી. ધુરંધર વિજય -પંડિતજી! દ્રોપદીએ પણ મૂર્તિપૂજા કરી હતી તેવું જ્ઞાતાસૂત્રમાં વર્ણન છે ને? પંડિત ન્યાયચંદ્રજી – જ્ઞાતા સૂત્રના એ પાઠ સાથે કોઈએ ચેડાં કર્યા છે. જૂની પ્રતોની શોધ કરીને વિદ્વાનોએ આવો નિર્ણય લીધો છે, અર્થાત્ દ્રૌપદીના વર્ણનમાં પ્રાચીન પ્રતોમાં અર્વાચીન પ્રતો જેવો પાઠ મળતો નથી.
બીજી વાત એ છે કે દ્રોપદી પૂર્વભવમાં ભોગનું નિદાન કરીને આવી હતી એટલે નિદાન પૂરું થાય તે પહેલાં સુધી તે શ્રાવિકા તો નહોતી પરંતુ સમ્યગુ દષ્ટિવાળી પણ નહોતી.
ત્રીજી વાત છે વિવેકની, જે પહેલાં કહી છે તે યાદ રાખવી જોઈએ કે આચાર સંબંધી વિધાનને આચાર શાસ્ત્રોથી સમજવા જોઈએ ન કે કથાઓના વર્ણનથી. કથાઓમાં તો એક ઉચ્ચ શ્રાવકને ૧૩ પત્નીઓ હતી તેવું વર્ણન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org