________________
GS
| મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમનવનીત |
માંસાહારી પત્ની પણ શ્રાવકને ત્યાં હતી તેવું કહ્યું છે અને પતિવ્રતા સ્ત્રીને પાંચ પતિ હોવાનું વર્ણન પણ છે. તો તેથી શું શ્રાવકે વધારે પત્ની રાખી શકાય? માંસાહાર કરી શકાય કે વધારે પતિ રાખી શકાય તેવું વિધાન સમજવું? આવું સમજવામાં અવિવેક જ ગણાય ને? એટલે વાર્તા-કથાને વિવેક બુદ્ધિથી જ સમજવી જોઈએ. CITણ જ્ઞાન-ગોષ્ઠી: ઉપકરણ પરિમાણ વિચારણા ID કેવલ મુનિ – પંડિતજી! સાધુ-સાધ્વીના ઉપકરણોના નામ શાસ્ત્રમાં છે, પરંતુ તે બધાનું માપ તથા સ્પષ્ટીકરણ નથી તો ભાષ્ય નિર્યુક્તિમાં કહ્યા અનુસાર માનવામાં જ બુદ્ધિ-વિવેક છે શું? પંડિત ન્યાયચંદ્રજી:-પત્ય વંલામ !દશવૈકાલિક સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં કહ્યું છે, કે સાધુ-સાધ્વી વસ્ત્ર, પાત્ર, કાંબળી, પાદપોછન આદિ જે ઉપકરણો રાખે છે તે સંયમ માટે અને લજ્જા માટે રાખે છે અને પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં પણ શરીર રક્ષા માટે ઉપકરણ રાખવાનું કહ્યું છે, તેને દશવૈકાલિકમાં પરિગ્રહ નથી કહ્યો અને કહ્યું છે કે મૂછ આસક્તિ જ પરિગ્રહ છે. આગમોમાં સાધુ-સાધ્વીની ચાદરોની સંખ્યા કહી છે, અન્ય ઉપકરણોની સંખ્યા કહી નથી. તેમ છતાં ભાષ્ય નિર્યુક્તિમાં કહેલ પરિમાણ સંખ્યા એકાંત આગ્રહ કરીને માન્ય રાખી શકાય નહીં. સંયમ અને શરીરની રક્ષા હેતુ, લજ્જા હેતુ, આસક્તિ રહિત ભાવોથી ઉપકરણ રાખવા માટે, વિવેક બુદ્ધિથી નિર્ણય કરવો જોઈએ.
એનું કારણ એ છે કે ભાષ્યમાં એક પાત્ર કે બે પાત્રા રાખવાનો આગ્રહ છે જ્યારે આગમોમાં અનેક પાત્રા રાખવા અંગેનું પ્રમાણ છે.
આગમોમાં રજોહરણને જીવરક્ષા અને ભૂમિ પ્રમાર્જન માટેનું ઉપકરણ ગણાવ્યું છે અને ભાષ્ય નિર્યુક્તિમાં પણ કહ્યું છે કે રજોહરણ એટલો લાંબો પણ ન રાખવો જોઈએ કે અહીં-તહીં આંખ, મોંમાં વાગી જાય અને એટલો નાનો પણ ન હોવો જોઈએ કે વાંકા વળીને પૂજીએ તો કમર દુઃખવા લાગે અર્થાત્ ચાલતી વખતે ઊભા-ઊભા ભૂમિ પ્રર્મોજન કરી શકાય તેટલું માપ યોગ્ય કહેવાય. જ્યારે ભાષ્યમાં ૩ર આંગળનું માપ નાના-મોટા બધા સાધુ-સાધ્વીઓ માટે કહેલું છે તે ઉચિત પણ નથી. કેમ કે તેમ કરવાથી તે નાનકડા રજોહરણથી ચાલતી વખતે પ્રમાર્જન ન કરી શકાય અને દંડાસન નામનું (ડાંડિયો) અધિક ઉપકરણ પંજવા માટે સાધુ-સાધ્વીઓએ રાખવું પડે છે અને ભાષ્યમાં ઉક્ત સ્વકથનથી પણ વિરોધ થાય છે. એટલે ૩ર આંગળના માપનો બધા માટે આગ્રહ રાખવાથી, સંયમની મર્યાદાને અનુકૂળ ન હોવાથી તે આગમ વિરુદ્ધ છે. માટે વિવેક એટલો જ રાખવો જોઈએ કે પોતાની ઊંચાઈ પ્રમાણે રજોહરણનું યોગ્ય માપ રાખવું જોઈએ અને દંડાસન નામના ઉપકરણને નાહક રાખવું જોઈએ નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org