SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ અર્કઃ ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ ૯૩ લગભગ ૫૦ શાસ્ત્ર બને એ માનવા જોઈએ. કેવલ મુનિ :- પંડિતજી! કેટલાય શાસ્ત્રોમાં ભેળસેળ થઈ ગઈ છે, દોષ દાખલ થઈ ગયા છે, એટલે બધા ન માનવા, ૩ર જ માનવા સારા છે. પંડિતજી જાયચંદ્રજી - મત્થાન વામ ! ભગવાનના હજાર વર્ષ પછી શાસ્ત્રો લખીને વ્યવસ્થિત કરવામાં આવેલા ત્યારે કેટલાક શાસ્ત્રો ઓછાં થયાં, કેટલાય વાક્ય અને વિષયો નવા જોડીને ઉમેરવામાં આવેલાં અને આજ સુધી ૧૫૦૦ વર્ષમાં લખનારે લખતાં-લખતાં કેટલી ભૂલ કરી, તેની કોઈ સંખ્યા નથી. જ્યારે કેટલાક લખનારે જાણી કરીને ક્યાંક મરજી મુજબ આડું-અવળું લખી નાખ્યું, તો કેટલાક આચાર્યોએ પણ પરંપરા ભેદથી, સમજ ભેદથી, સુધારા વધારા કર્યા છે. આજે તો કોઈ પણ શાસ્ત્ર ૫૦૦-૭૦૦ વર્ષથી વધારે જૂના લખેલા નથી મળતાં અને શાસ્ત્રોને છપાવવાવાળા કેટલાય પંડિત મુનિરાજ લખે છે કે, ઘણાં દોષોથી ભરેલા પાઠો મળે છે, જેનું સંપાદન કરતાં મગજ પણ ચકરાઈ જાય છે. બહુ જ વિવેકથી નિર્ણય લેવો પડે છે. એટલે મુનિરાજ મહોદય તમને વિનંતી કરવાની કે વિવેક બુદ્ધિ તો સર્વત્ર રાખવી જોઈએ. બધાં પૂર્વાચાર્યોના વચનોને આદરથી સાંભળવા-વાંચવા જોઈએ અને શાસ્ત્રો તો નંદીમાં કહ્યાં તેટલાં જ માનવા જોઈએ. વિવેક બુદ્ધિ તો શાસ્ત્રોમાં, ગ્રંથોમાં, ટીકા-ભાષ્યમાં, બધામાં રાખવી જોઈએ. કેમ કે છાસ્થ તો ભૂલને પાત્ર હોય શકે. એટલા માટે જ વ્યવહાર સૂત્ર ઉદ્દેશક-૩ માં કહ્યું છે કે આચાર્યશ્રીએ કાળ કરતી વખતે કહ્યું હોય કે “અમુકને આચાર્ય બનાવજો” ત્યારપછી જો તે સાધુ યોગ્ય લાગે તો જ તેને આચાર્ય બનાવવા અને અયોગ્ય લાગે તો તેને આચાર્યન બનાવવા, બલ્ક બીજા જે યોગ્ય સાધુ હોય તેને આચાર્ય બનાવવા, આવો સ્પષ્ટ આદેશ મૂલપાઠમાં છે. બૃહત્કલ્પ ઉદ્દેશકચારમાં કહ્યું છે કે બે સાધુના ક્લેશ આદિ પ્રસંગે આચાર્ય જે પ્રાયશ્ચિત્ત આપે તે શાસ્ત્રાનુસાર હોય તો ગ્રહણ કરવું અને શાસ્ત્ર અનુસાર ન હોય તો ગ્રહણ ન કરવું એવો સ્પષ્ટ અધિકાર દેવામાં આવ્યો છે. આમ છદ્મસ્થની ભૂલ તો સર્વત્ર સંભવ છે, તે વાત શાસ્ત્રકારો પણ માને છે. એટલે વર્તમાનમાં કોઈપણ શ્રમણના વાક્યોને એકાંત સાચા માનવાનો(અર્થાત્ વાવવા માનો)આગ્રહ કરવાનું અનુચિત છે અને સંપૂર્ણ ખોટું છે તેમ કહેવાનો દુરાગ્રહ કરવો કે તેવી પ્રેરણા કરવી પણ અયોગ્ય છે. આ બાબતમાં વિવેકબુદ્ધિ રાખવી તે જ પ્રશંસનીય છે. ધુરંધર વિજય – પંડિતજી! વિવેક બુદ્ધિ કેવી રીતે રાખવી જોઈએ? પંડિતજી :- સામાન્ય બુદ્ધિવાળાઓએ પોતાના ગુરુ વગેરેના નિર્દેશ અનુસાર શ્રદ્ધા રાખીને પાપોનો, કષાયોનો ત્યાગ કરતાં તપ સંયમમાં લીન રહેવું જોઈએ. વિશેષ પ્રજ્ઞાવાળાઓએ નંદીસૂત્ર કથિત ઉપલબ્ધ આશરે ૫૦ આગમોમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy