SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાજૈનાગમ નવનીત. સૂત્રોના નામ ગણાવ્યા છે અને હજારો પ્રકીર્ણક હોવાનું કહ્યું છે ત્યાં ૪પ તો કહ્યા નથી? ધુરંધર વિજય – તો ત્યાં કેટલા નામ ગણાવ્યા છે? પંડિતજી ન્યાયચંદ્રજી – ત્યાં ૧૨ અંગ + ર૯ ઉત્કાલિક સૂત્ર, ૩૦ કાલિક સૂત્ર અને એક આવશ્યક સૂત્ર એમ કુલ ૭ર શાસ્ત્રોના નામ છે. ' કેવલ મુનિ :- ધુરંધર વિજય મસા. ! ત્યારે તો ૪પ માનવાથી તમને પણ ઓછાં માનવાનું મિથ્યાત્વ લાગશે જ. ધુરંધર વિજય -કેવલ મુનિ મસા! અત્યારે તો નંદીમાં કહ્યાં છે તે સૂત્રોમાંથી ૪૫ જ મળે છે, બાકી તો લોપ થઈ ગયા છે એટલે ૪૫ જ માનવા જોઈએ અને તેની ટીકા ચૂર્ણિ, ભાષ્ય, નિર્યુક્તિ મોટા-મોટા આચાર્યોએ કરી છે, એટલે તેને પણ માનવી જોઈએ. નહીં તો એ મહાપુરુષોની આશાતના લાગે છે. કેવલ મુનિ :- ધુરંધર વિજયજી મ. સા.! હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય, મલયગિરિ વગેરે કેટલાય મોટા-મોટા વિદ્વાન મહાપુરુષોના સેંકડો ગ્રંથ આજે ઉપલબ્ધ છે, તેમ છતાં તમે ૪૫-૪૫ નું રટણ કરો છો તો તમને પણ કેટલી આશાતનાનું પાપ લાગશે? આ મોટા મોટા આચાર્યોના શાસ્ત્રોને તો તમે ૪પ આગમમાં ગણતાં જ નથી તો ૩ર માનીએ તેમાં ખોટું શું છે? પંડિત ન્યાયચંદ્રજી :– પત્થણ વામિ ! નંદીસૂત્ર દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે રચેલું છે. તેમને એક પૂર્વનું જ્ઞાન હતું. તેમણે જ બધા શાસ્ત્રો લિપિબદ્ધ કરાવ્યા, તેમણે તે સમયે જેટલા આચાર્યોના શાસ્ત્રો બન્યા હતા તે બધાને નંદી સૂત્રમાં શ્રતજ્ઞાનના ખુલાસામાં નામ સહિત ગણાવ્યા છે. તેમાંથી અત્યારે જેટલા શાસ્ત્ર મળે છે, તેને જ આગમ શાસ્ત્ર સમજવાં જોઈએ,ત્યારપછીના મહાપુરુષોના બનાવેલ શાસ્ત્રોને જૈન સાહિત્ય અને જૈન ગ્રંથ સમજવા જોઈએ. નદી સૂત્રમાં જેમનું શાસ્ત્ર રૂપમાં નામ નથી, તેને શાસ્ત્ર માનવાનો આગ્રહ રાખવો ખોટો છે અને જેનું નામ નંદી સૂત્રમાં છે તથા વર્તમાનમાં તેમાંથી જે મળે છે, તેને શાસ્ત્ર ન કહેવું તે પણ ઉચિત તો નથી જ. બને મુનિવર:- પંડિતજી! હાલ કેટલાં શાસ્ત્ર ઉપલબ્ધ છે? પંડિતજી ન્યાયચંદ્રજી – મળવામિ ! ૧૧ અંગ, ૧ આવશ્યક સૂત્ર, ૧૮ પ્રકીર્ણક અને અન્ય ૨૦, એમ કુલ ૫૦ શાસ્ત્ર હાલ મળે છે, જેમાં દેરાવાસી સાધુ લગભગ ૧૦ શાસ્ત્રને નથી માનતાં, જ્યારે સ્થાનકવાસી સાધુ લગભગ ૨૦ શાસ્ત્રને નથી માનતા. બંનેની ૩ર કે ૪૫ ના આગ્રહની માન્યતા એકાંત દષ્ટિવાળી છે. ૧૦ પૂર્વી અને ૧૪ પૂર્વીના શાસ્ત્રો તો કુલ ૧૦-૧૫ જ હશે, બાકી કોઈનો ઈતિહાસ પણ નથી મળતો અને જે મળે છે તે પણ પૂર્ણ પ્રમાણિક નથી. એટલે નંદી સૂત્ર અનુસાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy