________________
GO
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીતા
(૨) પરિસ્થિતિવશ ઉત્સર્ગ અપવાદનું ધ્યાન રાખીને, તેની સીમા અને ક્ષેત્રકાળનો વિવેક રાખીને, મૂળગુણમાં કે ઉત્તરગુણોમાં અત્યાવશ્યક દોષ લગાડનારા અને તેને યથાસમયે છોડીને શુદ્ધિ કરવાની ભાવનાવાળા, પ્રતિસેવના કુશીલ નિયંઠાની સીમામાં ગણવામાં આવે છે. આમાં પણ જ્ઞાનના સંબંધમાં મૂળ ગુણ અને ઉત્તરગુણમાં દોષ લગાડનારા અને ફરી દોષને છોડીને શુદ્ધિ કરવાનો સંકલ્પ રાખનારાને જ્ઞાન પ્રતિસેવના કુશીલ ગણવામાં આવે છે વિશેષ ધ્યાન એ રાખવું જોઈએ કે સીમિત આવશ્યક દોષ સિવાય અન્ય બધા સંયમ વિધિ વિધાનોનું આગમોક્ત વિધિથી પાલન કરનારા હોય અને સાચી પ્રરૂપણા કરનારા હોય, તે પ્રતિસેવના કુશીલ નિગ્રંથ કહેવાય છે.
(૩) કષાય કુશીલ નિગ્રંથ શુદ્ધ નિરતિચાર સંયમ પાલન કરે છે, કોઈ પણ નિમિત્તથી કોઈપણ રીતે સંયમને દૂષિત કરતા નથી. નોંધઃ નિયંઠા સંબંધી વિસ્તૃત જાણકારી માટે અને શિથિલાચાર શુદ્ધાચાર સંબંધી વિસ્તૃત આકર્ષક પદ્ધતિ યુક્ત જાણકારીને માટે સારાંશ ખંડ-ર, ઉપદેશ શાસ્ત્રનું અધ્યયન કરવું જોઈએ. C[II) સ્વગચ્છીય સમાચારી પાલન વાર્તા Dિ
જિજ્ઞેશ :- પોતાના ગચ્છની સમાચારી ન પાળવાથી શિથિલાચારી બને છે, કે અન્ય ગચ્છોની સમાચારીને ન પાળવાથી પણ શિથિલાચારી બને છે, અથવા ફક્ત આગમોક્ત સમાચારીનું પાલન ન કરવાથી જ શિથિલાચારી બને છે? જ્ઞાનચંદ – આગમોક્ત સમાચારીના અપાલનથી જ શિથિલાચારી બને છે. અન્ય ગચ્છોની સમાચારીનું પાલન અપાલનથી શિથિલાચારીનો કોઈ સંબંધ ન ગણવો જોઈએ.
સ્વગચ્છ સમુદાય કે પોતાના સંઘની સમાચારીનું પાલન ન કરવું, જેની નિશ્રામાં, આજ્ઞામાં વિચરવાનું હોય તેની જ ઉપેક્ષા કરવી, તે મહાન અપરાધ છે. આવું કરનારા નાના સાધુ હોય કે મોટા સાધુ; અનુશાસ્તા હોય કે અનુશાસિત હોય, તે શિથિલાચારીની સાથે-સાથે સ્વચ્છેદાચારી પણ છે. આવું કરવું તે નૈતિકતાની બહાર છે. એટલે જે સમુદાય કે સંઘમાં સાધુએ રહેવાનું હોય, તેના નિર્ણિત પ્રત્યેક સમાચારીનું નિષ્ઠાપૂર્વક ઇમાનદારીથી પાલન કરવું જોઈએ.
આ આગમોક્ત જ્ઞાતવ્ય સમાચારીઓની, આગમથી અતિરિક્ત સમાચારીઓની સૂચી કે વરણી જાણવી હોય તો સારાંશ ખંડ-૨, ઉપદેશ શાસ્ત્રનું ધ્યાનથી અધ્યયન કરવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org